SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. વર્ષના તબક્કાવાર ફોટા જરા ધારીને જો જે પછી તારી પણ તેજ તબક્કાની કલ્પના કરજે, કયાં ગયું ? આંખનું તેજ ? કયાં ગઈ મુખની પ્રભા ? કયાં ગઈ દોડવાની શક્તિ ? એક વૃદ્ધ વડીલ વાંકા વળીને ચાલતા હતા એક યુવાને પૂછ્યું, કાકા, શું શોધો છો ? ભાઈ યુવાની શોધું છું, યુવાન આગળ વધ્યો, કાં વધશે ? કાકાની જગા લેશેને ? રૂપ શોધશે કે યુવાની ? યુવાની દિવાની બનાવી જવાની પાછી નથી આવવાની. ત્વચા વગરનું શરીર જોયું છે ! તારું ગજું શું ! તે ઋષભદેવાદિના શરીર સડન પડનવાળા ન હતા છતાં રાખી શકાતા નથી. આ ચાર દિવસની ચાંદની જેવું શરીર કેવી રીતે સાચવીશ ? એક સદ્ઉપયોગ છે તે આત્મકલ્યાણ. બળમદ : સિકંદરે પૃથ્વી જીત્યા પછી કહ્યું. અબજોની મિલકત આપતા એ સિકંદર ના બચ્યો, તારું બળ કેટલું ? દશમસ્તકના બળવાળા રાવણનું મૃત્યુ આગળ ના ચાલ્યું એના પ્રમાણમાં તારી પાસે શું છે ? ભાઈ, અંધારામાં દોરડી જોઈને તું ગભરાવાવાળો. કયા બળ પર ઝઝૂમે છે ? તારી પાસે એક બળ છે આત્માનું. તે અમર છે. મરતું નથી. અમર બનાવે છે. ૫. લાભમદ : જીવનમાં સુખરૂપ જીવી શકાય તેવા ધનાદિની પ્રાપ્તિમાં વિઘ્ન કરનાર અંતરાયકર્મ છે. તમને કોઈ વસ્તુની જરૂર હોય છે. તે શ્રીમંત પાસે વસ્તુ છે પણ તમને તેને આપવાની ઈચ્છા ન થાય. જો લાભાંતરાય કર્મનો ઉદય ન હોય તો દાતા પ્રસન્નતાથી આપે. આમ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય કે ન થાય તો મદથી ખેદ નહિ કરતા સમતા રાખવી. ૧૬૦ ૬. બુદ્ધિમદ : અન્ય કરતા તમે કંઈ વધુ જાણો છો તેવો મદ થાય ત્યારે તમારે શ્રુતજ્ઞાનીઓને, મહાજ્ઞાનીઓને યાદ કરવા. તો તમારો મદ શાંત થશે. જ્ઞાનીને જ્ઞાનની સમજ હોવાથી જ્ઞાનનો મદ ન થાય પણ કેવળ શાસ્ત્ર કે વિદ્વાનને જ્ઞાનની સમજ ન હોવાથી મદ થાય. ત્યારે વિચારવું કે જ્ઞાનીઓ કેવા ધીર ગંભીર સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy