SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યો, કે શ્રેણિકને જીવતો પકડી લાવો, સેનાપતિ સુરંગ પાસે પહોંચ્યા ત્યારે બત્રીસ રથ રક્ષા માટે શ્રેણિકના રથ પાછળ દોડતા હતા. સેનાપતિએ છેલ્લા રથના સારથીને બાણથી વીંધી નાખ્યો અને આ શું? બત્રીસે રથના રક્ષકો મૃત્યુને ભેટયા. અભયમંત્રી રાજગૃહના દ્વારે રાજાનું સ્વાગત કરવા, બત્રીસ રથની રાહ જોઈ ઉભા છે. એક સૈનિકે કારમા સમાચાર આપ્યા. અભયમંત્રી આશ્ચર્યથી શોકમાં ડૂબી ગયા. બત્રીસ રક્ષકના એક સાથે મૃત્યુ? તીર તો એકને વાગ્યું હતું? આ ગુપ્ત રહસ્ય કોઈ જાણતું નહતું. ચેલણા મહાવીર ભક્ત હતી એટલે અભય મંત્રીને આશા હતી. રાજા જૈનધર્મ પામે તો રાજ્ય પણ એ માર્ગોને સ્વીકારે. પણ અચાનક આ શું બની ગયું? 1 અભયમંત્રી ભારે વિમાસણમાં મૂકાઈ ગયા. શ્રેણિકરાજા ચેલણા સાથે અંતઃપુરમાં પહોંચ્યા. ત્યાં આ દુઃખદ સમાચાર મળ્યા. હર્ષ શોકમાં ફેરવાઈ ગયો. સુલતાને ખબર કેમ આપવા ? છેવટે અભય મંત્રી સુલસા પાસે જાય છે. તુલસા કોઈ ગૂઢ ભયની ઘેરાયેલી પુત્રો ક્ષેમ કુશળ આવે તેની રાહ જુએ છે. ત્યાં તો અભયમંત્રી આવ્યા તુલસા પાસે બેઠા અત્યંત દુઃખ સાથે હકીકત કહી. પૈર્યવાન મરદની હિંમત ન ટકે તેવા આ સમાચાર સાંભળી તુલસા અત્યંત શોકાતુર થઈ ગઈ. નાગસારથી બોલી ઊઠયા, એક પણ બચ્યો નથી ? અને ભાન ગુમાવી બેઠા. એક પછી એક શબ વાહીનીઓ આવી ગઈ, શ્રેષ્ઠિ ભવનમાં અંતિમ ક્રિયા કઠણ કાળજે કરવાની છે. સુલતા-સારથી શબવાહીનીમાં પુત્રો હમણાં બોલશે? તેમ કલ્પી સુલતા-સારથી અવાક બેઠા છે. પણ કોણ બોલે? એક પણ જીવંત નથી. અભયમંત્રી સતતુ સમજાવે છે. આશ્વાસન આપે છે, સુલસા પાસે વિરની ભક્તિનું બળ છે છતાં કારમો ઘા અશ્રબિંદુઓમાં રેલાય છે. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૧૩
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy