SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩. શુભ સંકલ્પનું બળ એક ગુરુદેવ મોટા શિષ્યવૃંદ સાથે વિહાર કરી રહ્યા હતા. સાંજ ઢળવા આવી હતી. ત્યારે જે ગામ આવવાનું તે નાનું હતું. કોઈ સગવડતા મળવાની શકયતા ન હતી. ગુરુદેવ એક વૃક્ષ નીચે બેઠા, શિષ્યવૃંદ પણ સામે બેઠું. ગુરુદેવ કહે, અહીં જે ગામમાં જવાનું છે. ત્યાં કોઈ સગવડ નહિ હોય. પ્રતિકૂળતામાં પણ પ્રસન્ન રહેવું તે આપણું સંયમ જીવન છે. સૌએ કંઈ જ સગવડ વગરના ગામમાં પ્રસન્નતાથી રાત વિતાવી. શુભ સંકલ્પનું બળ હતું. સામાન્ય માનવ લગભગ અશુભ વિચારોમાં અટવાતો હોય છે. તેની અસર અચેતન મન પર પડે છે. અને તેમાંથી અનેક વિકારી ભાવો ઊઠે છે. ત્યારે સાધકે જાગૃત રહી પ્રભુગુણ જેવા સ્મરણના આધારથી શુભધારા વહેવડાવવાની દૃઢતા રાખવી. કયારે બને? એક પ્રયોગ કરો. ઊઘતા પહેલા ૨૦/રપ મિનિટ પ્રભુસ્મરણ કે મંત્ર સ્મરણ કરો, તેમાં એકાગ્ર થાવ તે મંત્રના ભાવ અજાગૃત મન સુધી પહોચે અને તેમાં પડેલા કુસંસ્કારોને ઓગાળી નાંખે. આ સાધના સઘન બને તો તે જન્માંતરીય સંસ્કાર બને. એ સંસ્કારો કેવળ જાગૃત મન સુધી નહિ પણ અજાગૃત મનમાં સ્થાયી થવા જોઈએ. સાધુ તો પ્રભુના શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયનું ધ્યાન કરે. જીવનનો મહત્વનો એ સમય હોય છે તેને કલાકો સાથે સંબંધ નથી. જીવંત સંબંધ છે. અહંત પદ દયા તો થકો દ્રવ્ય ગુણ પચય વડે, ભેદ છેદ કરી આત્મા અહંત સરીખો થાય. આત્માકાર વૃત્તિ અને તું કયાં જુદા છો ? “બીજો પ્રયોગ કરો, એકાગ્રચિત્તે સ્વાધ્યાય કરો. ચેતનાનો સંપૂર્ણ પ્રવાહ સ્વાધ્યાયમય થઈ રહ્યો છે. જો વિકલ્પો ચાલુ રહ્યા તો વિભાવ ઘૂસી જશે. જે આત્મપ્રદેશ પર મલની જેમ આવરણ કરશે. માટે સ્વાધ્યાય એકાગ્ર ચિત્તે કરો. તે સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૧ ૧૦
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy