SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ 486 ।। ભક્તામર તુલ્યું નમઃ । ભોજપત્રને મૂકી પાસે રાખીએ તો આપણા ઉપર કોઈ પણ વ્યક્તિએ કામણઝૂમણ કર્યાં હોય તેની અસર થાય નહિ, અને દિવસે દિવસે આપણી કીર્તિ અને પ્રતાપમાં વધારો થતો રહે તથા બધા ઉપદ્રવનું નિવારણ થાય અને ચક્રેશ્વરી દેવી પ્રત્યક્ષ થાય. (૧૬) કથા ૧૬ અને શ્લોક ૨૪-૨૫ની નીચે ગુણાકરસૂરિએ જણાવેલ મંત્રામ્નાય અને વિધિ શ્લોક ૧૯થી ૨૫ મંત્રાક્ષર એક જ છે, જે ભયહર વિદ્યા માટે આ પ્રમાણે છે : ॐ ह्रीं श्रीं अर्हं नमिउण पास विसहर वसह जिणं फुलिंग ॐ ह्रीं श्रीं अर्हं नमः ।। વિધિ : કેશર, ગોરુચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી તાંબાના ભાજનમાં પતરા ઉપર અથવા ભોજપત્ર પર આ યંત્ર લખીને શ્વેત વસ્ત્ર, શ્વેત આભૂષણ, શ્વેત પુષ્પની માળા, ચંદનનું વિલેપન વગેરે કરીને એકાંત શુચિ પ્રદેશે સાધકે નાસિકા પર ચક્ષુઓ સ્થાપન કરીને ત્રિકાળ (સવાર બપોરે – સાંજ) ૧૦૮ (એકસો આઠ) વખત મૂળમંત્રનું ધ્યાન કરીને ઉત્તમ સુગંધીવાળા અને કરમાયા વગરનાં શ્વેત ૧૦૮ ફૂલથી પૂજન કરવું. આ પ્રમાણે વિધિપૂર્વક પૂજન તથા ધ્યાન ક૨વાથી સાધકને સર્વ સંપદાની પ્રાપ્તિ થાય છે. દરેક જાતના રોગોનો નાશ, સર્વ પ્રકારના કુષ્ટભયોનું નિવારણ, કીર્તિયશ તથા સારા ભાગ્યની પ્રાપ્તિ અને ઇચ્છિત ફલની પ્રાપ્તિ નિશ્ચયે કરીને થાય છે. વળી કેશર વગેરે સુગંધી દ્રવ્યોથી ભોજપત્ર પર લખીને ગળામાં ધારણ કરવાથી તથા સુગંધીદાર (સફેદ) ૧,૦૦૦ ફૂલોથી જાપ કરવાથી ૨ાજા, અગ્નિ, ચોર, શાકિની વગેરે ત૨ફથી ઉપસ્થિત થતાં સર્વ પ્રકારના ક્ષુદ્દોપદ્રવોમાં રક્ષણ થાય છે. (૧૭) કથા ૧૭ અને શ્લોક ૨૬નો મંત્રામ્નાય અને વિધિ ગુણાકરસૂરિએ આ પ્રમાણે આપેલ છે : ॐ श्रीं ह्रीं क्लीं महालक्षमैय नमः । વિધિ : પંચમ નક્ષત્ર (મૃગ) અને ગુરુવાર જે દિવસે હોય તે દિવસે જાપ શરૂ કરવા, જાપ શરૂ કરતાં પહેલાં જે ઘરમાં અગર જે જગ્યાએ જાપ કરવા હોય તે જગ્યાની ભીંતોને ધોળાવવી અને જમણી તરફ લક્ષ્મી દેવીની મૂર્તિની સ્થાપના કરવી. (૧૮) કથા ૧૮ અને શ્લોક ૨૭નો મંત્રામ્નાય અને તેની વિધિ ગુણાકરસૂરિએ તેમની વૃત્તિમાં આ પ્રમાણે જણાવી છે : ॐ नमो ऋषभाय मृत्युंजयाय सर्वंजीवशरणाय परमब्रह्मणेऽष्टमहाप्रतिहार्यसहिताय नागभूतयक्षवशंकराय सर्वशान्तिकराय मम शिवं कुरु कुरु स्वाहा ।। वार २१ स्मरणात् क्षुद्रोपद्रवनाशो वाञ्छितलाभश्च ।। — વિધિ : અજવાળી ચૌદશના દિવસે આ મંત્રના ૩,૦૦૦ (ત્રણ હજાર) જાપ કરીએ તો સર્વ કાર્યની સિદ્ધિ થાય; દુષ્ટ, ભૂત, વ્યંતર, દૈત્ય તથા ખવીસ કોઈને વળગ્યો હોય તો ત્રણ દિવસ ૨૧ (એકવીસ) વાર આ મંત્રથી ઝાડવાથી ત્રણ દિવસમાં વળગાડવાળો માણસ વળગાડથી મુક્ત
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy