SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ આ ગિરિ – પર્વતન્દ્ર તરીકે પ્રસિદ્ધ થયો, આવા ગિરિરાજને ભાવથી પ્રણામ કરીએ. ત્રિભુવનમાં તીરથ સવે, તેમાં મોટો એહ; તે તીર્થેશ્વર પ્રણમિયે, મહાતીરથ જસદેહ રહ) –ખ – ૬ – જે ગિરિ ત્રણ ભુવનમાં સઘળાં તીર્થોમાં તીર્થ તરીકે સર્વશ્રેષ્ઠ છે અને જેને મોટા તીર્થ તરીકે રેખા-નામના મલી છે માટે તેનું મહાતીરથ નામ થયું. તે તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરીએ. આદિઅંત નહિ જેહનો, કોઈ કાલે ન વિલાય; તે તીર્થસ્વર પ્રણમિય, શાશ્વતગિરિ કહેવાય; - ખ – ૯૭ – આ ગિરિરાજ તીર્થની કોઈ કાલે આદિ શરુઆત નહોતી થઈ. અને જેનો કોઇ કાલે સર્વનાશ પણ થવાનો નથી. એથી આ ગિરિને શાશ્વતગિરિ એવું નામ આપ્યું તે તીર્થસ્વરને પ્રણામ કરીએ. ભદ્ર ભલા જે ગિરિવરે, આવ્યા હોય અપાર; તે તીર્થસ્વર પ્રણમિય, નામ સુભદ્ર સંભાર – ખ – ૯૮ – ભદ્રપરિણામી જીવો આ ગિરિરાજ પર અપાર –આવે છે. તેથી આ ગિરિવરનું સુભદ્ર નામ પડ્યું. તે તીર્થેશ્વરને હંમેશાં નમન કરીએ. વીર્યવર્ધ શુભ સાધુને, પામી તીરથભક્તિ; તે તીર્થેશ્વર પ્રણમિય, નામે જે દેઢશક્તિ; - ખ – ૯૯ આ ગિરિરાજના ક્ષેત્રમાં રહીને ભક્તિભાવનાથી આરાધના કરતા મુનિરાજની આત્મશક્તિ- આત્મશ્રદ્ધા દઢ થાય છે તેથી આ ગિરિનું આપણે દઢશક્તિ નામ પાડયું. તે તીર્થેશ્વરને પ્રણામ કરીએ. શિવગતિ સાધે જે શિરે, તે માટે અભિધાન; તે તીર્થેશ્વર પ્રણમિય, મુક્તિનિલય ગુણખાણ; - ખ – ૧૦ – આ ગિરિરાજ ઉપર મુનિવરો – સાધકો વગેરે જીવો શિવગતિ – મોલ ગતિ સાધે છે.માટે ગુણોના ખાણસમાન આ ગિરિનું નામ મુક્તિનિલય પડ્યું. તે તીર્થેશ્વર ને પ્રણામ કરીએ.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy