SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજનાં-૧૦૮– ખમાસમણના-૧૦૮–દુહાઓ અર્થ સાથે તે તીર્થેશ્વર પ્રણમિયે, ભ્રમણ કરો છો કેમ ? આ ગિરિરાજનાં મંદિરો પર ફરતી શ્વેત ધજાઓ ભવ્ય પ્રાણીઓને એમ કહે છે– પૂછે છે કે તમે અહીં તહીં કેમ ભમો છે ? તમારે શું જોઇએ. છે ? તમારે જે જોઇતું હશે તે અહીંથી મલી જશે. આવા તીર્થેશ્વરને પ્રણામ કરીએ. સાધક સિદ્ધ દશા ભણી; આરાધે એકચિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, સાધન પરમ પવિત્ર; જે આત્માને ઉચ્ચકોટીની સાધના કરવી છે. તે આત્માને માટે આ ગિરિરાજ એક પરમ પવિત્ર કોટીનું સાધનાનું સ્થાન છે. સાધક જો એકાગ્રતાથી એકચિત્તે આ ગિરિરાજ પર સાધના કરે તો તે પોતાના સાધ્યને અચૂક મેળવે છે. તે તીર્થેશ્વરને પ્રણામ કરીએ. – ખ – ૭ – – ખ – ૧ – ૩ સંઘપતિ થઇ એહની, જે કરે ભાવે યાત્ર; તે તીર્થેશ્વર પ્રણમિયે, તસ હોય નિર્મલગાત્ર; – ખ – ૭૨ – જે આત્મા “ છ ” રી પાલન કરતો સંઘ કાઢી – તેના સંઘપતિ થઇ ચતુર્વિધસંઘને આ તીર્થમાં ભાવપૂર્વક લાવી જે યાત્રા કરે તેનો આત્મા – તેનું શરીર નિર્મલ થાય છે. આવા તીર્થેશ્વરને પ્રણામ કરીએ. શુદ્ધાતમ ગુણ રમણતા, પ્રગટે જેહને સંગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, જેહનો જશ અભંગ; – [ – ૭૩ – જે ગિરિરાજના સંસર્ગથી આત્મિક ગુણોની રમણતા પ્રગટ થાય છે. અને જે ગિરિરાજનો યશ અભંગ છે. તે તીર્થેશ્વરને ભાવથી નમન કરીએ. રાયણ ઋખ સોહામણો, જિહાં જિનેશ્વર પાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, સેવે સુર – નર – રાય. – ખ – ૪ – આ ગિરિરાજ પર સુંદર એવું રાયણવૃક્ષ છે. અને એ રાયણ વૃક્ષ નીચે શ્રી ઋષભદેવ પ્રભુનાં પગલાં છે. તે પગલાંને દેવેન્દ્રો અને રાજાઓ સેવે છે. આવા ગિરિરાજને હે ભવ્યો ! તમે ભક્તિભાવપૂર્વક પ્રણામ કરો. પગલાં પૂજે ઋષભનાં, ઉપશમ જેહને અંગ;
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy