SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૦ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર – પૂર્તિ ગયા. તે તીર્થસ્વરો તમે હંમેશાં નમન કરે. શુક પરિવ્રાજક વળી, એક સહસ અણગાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા શિવપુર દ્વાર; - ખ – પપ - શુક નામના પરિવ્રાજક સાધુ આ તીર્થમાં પધાર્યા અને એક હજાર સાધુઓ સાથે ભાવનાની વૃદ્ધિ થવાના કારણે શિવપુર દ્વાર – મોક્ષનગરને પામ્યા. તે તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરીએ. સેલનસૂરિ મુનિ પાંચસે, સહિત હુમા શિવનાહ, તે તીર્થસ્વર પ્રણમિયે, અંગે ધરી ઉત્સાહ – ખ – ૫૬ – સેલમસુરિ તબિયતના કારણે શિથિલતા પામી ગયા હતા પણ પંથક નામના શિષ્યના ચોમાસી ખામણાંથી આત્મા જાગૃત થતાં શ્રી સિદ્ધાચલ પર આવી પાંચસો સાધુઓ સાથે આત્મામાં અપૂર્વ વીલ્લાસ ફોરવી શિવનાથ - મોક્ષના સ્વામી બન્યા. તે તીથેશ્વરને ઉત્સાહપૂર્વક પ્રણામ કરશે. ઈમ બહુ સીધ્યા ણગિરિ કહેતાં નાવે પાર; તે તીર્થેશ્વર પ્રણમિય, શાસ્ત્રમાણે અધિકાર; - ખ – ૫૭ – આવી રીતે ઘણાય આત્માઓ આ ગિરિપર મોક્ષે ગયા છે. તે બધાનો અધિકાર શાસ્ત્ર માહિ કહેલો છે. તે બધો જ કહેવા બેસીએ તો પાર આવે એવો નથી.તે તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરીએ. બીજ ઈહાં સમક્તિ તણું – રોપે આતમ ભોમ; તે તીર્થસ્વર પ્રણમિય, ટાલે પાતક સ્તોમ; – ખ – ૫૮ – આ ગિરિરાજમાં રહીને આરાધના કરનારો ભવ્ય પ્રાણી પોતાના આત્માની અંદર સમન્વરૂપી બીજ રોપે છે. અને પાપરૂપી અંધકારને દૂર કરે છે. તે તીર્થસ્વરને ભાવથી પ્રણામ કરીએ. બ્રહ્મ – સ્ત્રી – ભૂણ – ગો હલ્યા, પાપે ભારિત હ; તે તીર્થેશ્વર પ્રણમિય, પહોંતા શિવપુર ગેહ - ખ – ૫૯ – બ્રાહ્મણ – સ્ત્રી - બાલક અને ગાયની હત્યાના પાપથી જેઓ ભારે થયા છે. તેઓ પણ આ તીર્થની આરાધના
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy