________________
પાંચમાં આરાના ઉત્તરો
૬૧
संघाधिपाच सञ्जाता. बहुविविधवर्णकाः। एतस्यामवसर्पिण्यां, तीर्थयात्राविधायका: ॥५३॥
આ ગિરિરાજનો સંઘ લઈને આવનાર જુદી જુદી જ્ઞાતિના અનેક સંઘપતિઓ તીર્થયાત્રા કરનારા થયા છે. (૫૩)
अष्टात्रिंशत्तमेवर्षे - द्विसहस्रेच वैक्रमे। आद्याश्विने सिते घरो, हयष्टम्यां शनिवासरे॥५४॥ पादलिप्ते पुरे रम्ये, गिरिराज समाश्रिते दृब्ध: कर्पूरचन्द्रेण, गिरिराजस्तवो मुदा॥५५॥
વિક્રમ સંવત ૨૦% પ્રથમ આસો સુદ આઠમે શનિવારના દિવસે ગિરિરાજથી યુક્ત સુંદર એવા પાલિતાણા નગરમાં આ ગિરિરાજનું સ્તવન ત્રાપજ નિવાસી કપૂરચંદ રણછોડદાસ વારેયાએ ચિત્તની પ્રસન્નતાપૂર્વક બનાવ્યું. (૫૪-૫૫)
અંતિમ યાચના
यन्मयोपार्जितं पुण्य मेतत्स्तवविधानतः। तेन पुण्येन भूयांसं, शीघ्रं मुक्तेरुपासकः।
આ ગિરિરાજનું સ્તવન રચવાથી શુભ મિશ્રિત શુદ્ધ ભાવનાયોગે મેં જે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન ક્યું હોય તે પુણ્યના યોગે શીધ અલ્પકાલમાં મુક્તિ સિદ્ધિગતિનો ઉપાસક – સેવનાર થાઉં, એવી હાદિક ભાવના.