SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર:- આ લોકના લાભ માટે દક્ષિણાવર્ત શંખ વિગેરેની પેઠે એકાલિ નાળિયેર વિગેરેની પૂજા કરવામાં મિથ્યાત્વ લાગે, તેવું અમારા જાણવામાં નથી. તે ૧-૧૬ પ્રશ્ન: સમષ્ટિ સિવાયના જીવોને નિજી જરા પણ ન થાય? કે થોડી ઘણી થાય? ઉત્તર:–સમકિતી સિવાયના જીવોને નિર્જરા જરા પણ ન થાય, એમ તો કહી શકાય નહિ. કેમકે – अणुकंपऽकामनिज्जर बालतवे दाण-विणय-विन्भंगे। संजोग-विप्पओगे वसणूसव-इड्ढि-सक्कारे॥१॥ આવશ્યક નિર્યુક્તિની આ ગાળામાં કરેલી અકામ નિર્જરા મિબાદષ્ટિને સમકિત પ્રાપ્તિના કારણ તરીકે જણાવી છે. અને કેટલાક ચરક, પરિવાજ વિગેરે સંન્યાસીઓને પોતાની ઈચ્છાપૂર્વક બ્રહ્મચર્યનું પાલન, અદત્તાદાનનો ત્યાગ વિગેરે નિયમોથી પાંચમા બ્રહ્મદેવલોક સુધી ઉપજવાનું કહેલું હોવાથી તેઓને સકામ નિર્જરાનો પણ સંભવ દેખાય છે. ૧-૧૭ પ્રશ્ન: ઉસૂત્ર પ્રરૂપણા કરવા છતાં મહાવ્રતનું પાલન, તપશ્ચર્યા વિગેરે કિયા કરે, તેઓ હળવાશ્મીં થાય કે નહિ? ઉત્તર:–ઉસૂત્રપ્રરૂપક નિહ્નવ વિગેરે મહાવ્રતની ઉગ્રક્રિયા સહિત હોય, તો ઉત્કૃષ્ટથી નવમા રેવેયક સુધી ઉપજે છે, તેથી મહાવ્રતની ક્રિયા દ્વારા મેળવેલ શુભ ફળ તેઓને ભલે હોય, પણ તેઓને હળવા કમીંપણું થાય કે ભારે કીપણું થાય? તે તો સર્વજ્ઞ ભગવાન જાણે. / ૧-૧૮ ઉપાધ્યાય શ્રી મેઘવિજય ગણિકત પ્રશ્નોના ઉત્તરો પ્રશ્ન: ભગવતી સૂત્રમાં “લોકપાળ દેવો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં રહે છે” એમ બતાવ્યું છે. છતાં તેઓને દક્ષિણ દિશામાં જ થતાં ગ્રહોની શ્રેણિ, વિદ્ગો, અતિવર્ષાદ, લોઢા વિગેરે ખાણોની હાલત વિગેરે કાર્યો, અજાણમાં હોતાં નથી” એમ બતાવ્યું છે, તો ફક્ત દક્ષિણ દિશા જ પકડી છે, પણ બીજી દિશાઓ કહી નથી, તેનું શું કારણ છે?
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy