SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ પ્રશ્ન: પોસાતી શ્રાવકો કેટલી ભૂમિ સુધી જઈ શકે? ઉત્તર: પોસાતી શ્રાવકો ઈર્યાસમિતિ વિગેરેનું પાલન કરી ધર્મને માટે ઇચ્છામુજબ સુધી જઈ શકે છે, આમાં ભૂમિના પ્રમાણનો નિયમ નથી. ૩-૭૪૩ પષ્ઠિતશ્રી અમરચન્દ્ર ગણિકૃત પ્રશ્નોત્તરો. પ્રશ્ન: જિનપ્રતિમાજીને ચંદનની પેઠે કસ્તૂરીનો લેપ કરાય? કે નહિ? ઉત્તર:-પ્રતિમાજીને કસ્તૂરીનો લેપ ન કરવાના અક્ષરો ગ્રંથમાં નથી. પણ ઉલટા સામાન્યથી કસ્તૂરીના લેપ કરવાના અક્ષરો શ્રાદ્ધવિધિ વિગેરેમાં છે. અને પૂજામાં ચંદન વિગેરેના ઘોળમાં હાલમાં પણ કસ્તૂરી વપરાતી જેવામાં આવે છે. ૩-૭જા પ્રશ્ન: સાંજના પ્રતિકમણની પેઠે સવારના પ્રતિકમણમાં શ્રાવકોને સાધુથી આદેશ અપાતો નથી, તેનું શું કારણ? ઉત્તર:-“પ્રભાતનું પ્રતિક્રમણ ઊંચા સાદે ન કરવું” એવી આગમની મર્યાદા છે; જે આદેશ આપવામાં આવે, તો સૂત્ર સંભળાવવા માટે શ્રાવક ઊંચા સાદે ભણાવે, તો સૂત્રમર્યાદાનો ભંગ થઈ જાય, માટે પ્રભાતે આદેશ અપાતો નથી. II ૩-૭૪૫ : શ્રાવકોને ગોત્રદેવીની પૂજામાં મિથ્યાત્વ લાગે? કે નહિ? ઉત્તર:-જેનું તેવા પ્રકારનું વૈર્ય હોય, તેણે ગોત્રદેવીની પૂજા મહારાજા કુમારપાલની પેઠે કરવી જ નહિ. અને શૈર્ય ન હોય તો કદાચિત તેની પૂજામાં પણ ઉચ્ચરેલ સમકિતનો ભંગ થતો નથી. કેમકે-દેવાભિયોગરૂપ-છીંડી ઉચ્ચરતી વખતે મોકળી રાખવામાં આવી હોય છે. તે ૩-૭૪૬ પ્રશ્ન: આંચલિકોએ પ્રતિષ્ઠિત કરેલા પ્રતિમાજી પૂજાય? કે નહિ? ઉત્તર:-આંચલિકોએ પ્રતિષ્ઠિત કરેલી પ્રતિમાજી પણ બાર બોલના પટ્ટને અનુસાર ગુરુવચનથી પૂજ્ય જ છે. અને “સર્વની અનુજ્ઞા અને સર્વનો નિષેધ પ્રવચનમાં નથી” આ વચન આ બાબતમાં લક્ષ્યમાં રાખવું. ૩-૭૪૭. પ્રશ્ન: ચારેય લોકપાળ દેવો કેટલી નિકાયમાં છે? ઉત્તર-વૈમાનિક અને ભવનપતિ એ બે નિકાયમાં ચારેય લોકપાળ દેવોનો સદ્ભાવ સંગ્રહણીટીકા વિગેરેમાં કહેલ છે. ૩-૭૪૮
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy