SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ અધિકારમાં છે, આ પ્રમાણથી દરેક શ્રાવકને પણ મુહપત્તિ વિગેરે ગ્રહણ કરવું જોઈયે. અને અનુયોગદ્દાર વિગેરેમાં પણ સ્પષ્ટ જ અક્ષરો છે. ॥ ૩-૭૧૫ ॥ પ્રશ્ન: મતાન્તરીય સાધુ મળે અથવા તે પ્રથમ નમસ્કાર કરે તો કેટલાક આપણા સાધુઓ મથએણવંદામિ બોલે છે, અને કેટલાક બોલતા નથી, તેમા જે રીતે હોય તે જણાવવા પ્રસાદી કરવી. ઉત્તર :— આગળથીજમતાંતરીય સાધુઓએ આપણને નમસ્કાર ર્યો હોય, તો અવસર મુજબ કરવું. ॥ ૩-૭૧૬ | પ્રશ્ન: શ્રાવકો બારવ્રતના પોસહ શરૂ કરે, ત્યારે પ્રારંભના દિવસે આયંબિલ કરાવાય ? કે એકાશન કરાવાય ? અને ભોજનમાં લીલું શાક વિગેરે કલ્પે ? કે નહિ? ઉત્તર :— શ્રાવકોને બાર વ્રતોના પોસહમાં યથાશક્તિ તપ કરવું. અને લીલું શાક વિગેરે તો કારણ વિના કલ્પે નહિ. ॥ ૩-૭૧૭ ॥ પણ્ડિત શ્રી શ્રુતસાગરગણિકૃત પ્રશ્નોત્તરો પ્રશ્ન: મૂળાના પાંદડામાં અનન્તકાયપણું છે? કે પ્રત્યેકપણું છે? ઉત્તર :— મૂળાનો કાંદોજ અનન્તકાય છે, તેના પાંદડા વિગેરે અનન્તકાય નથી. ॥ ૩-૭૧૮ II પ્રશ્ન: ઉત્સૂત્રભાષીઓ સમકિતી હોય કે? મિથ્યાદષ્ટિ હોય ? ઉત્તર :~ - ઉસૂત્રભાષીઓ મિથ્યાદષ્ટિ હોય; તેમાં કોઇ પણ વાદવિવાદ નથી. सूत्रोक्तस्यैकस्याप्यरोचनादक्षरस्य भवति नरो मिथ्यादृष्टिः “સૂત્રના એક અક્ષરની પણ અરુચિ કરે, તો માણસ મિથ્યાદષ્ટિ બને છે.” આ પાઠ છે ॥ ૩-૭૧૯ ॥ પ્રશ્ન : દેવગત થયેલાના વાર્ષિક દિવસે માનેલા ધ્યે કરી કોઈ સંવચ્છરી વિગેરે પર્વોના પોસાતીઓને જમાડે; તેમાં સમકિતીઓને જવું ઉચિત છે? કે નહિ ? ઉત્તર :— મરણ પામેલાનું વાર્ષિક કૃત્ય કાંઈ જુદું કરીને જે પોસાતીઓને જમાડે તો તેમાં જવું સમકિતીઓને ઉચિત જ છે. અન્યથા તો ઉચિત લાગતું નથી. હાલમાં મોટા શહેરોમાં પ્રવૃત્તિ પણ તેવી જ છે. ૩-૭૨૦॥
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy