SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ગયેલા શ્રાવકથી સુવિધા મળવારે આ સ્તુતિજ કહેવાય, પણ બીજી નહિ. ૩-૫૨૬ો પ્રશ્ન: ૮ પુરિમુકે એક ઉપવાસ ઈત્યાદિ ગણતરીએ ગણેલું તપ ત્રીજા અને પાંચમા ઉપધાનમાં ગણાય? કે નહિ? ઉત્તર:-(૧)પંચમંગલ મહાગ્રુતસ્કંધ (૨) પ્રતિક્રમણ શ્રુતસ્કંધ (૩) શક વાધ્યયન-(૪)ચત્યસ્તવ અધ્યયન (૫)નામસ્તવ અધ્યયન (૬)શ્રુતસ્તવન અધ્યયન આ છ ઉપધાનો છે, તેમાં ચોથા અને છઠ્ઠા ઉપધાન વિના બીજા ચાર ઉપધાનો મૂળવિધિએ અને બીજી વિધિએ વહન કરાય છે, તેમાં બીજી વિધિમાં આઠ પરિમુઢ એક ઉપવાસ વિગેરે ગણના હોય છે. પણ મૂળવિધિમાં હોતી નથી. કેમકે તે કરવામાં કાંઈ પ્રયોજન નથી, તથા ચોથું અને છઠું તો મૂળવિધિએ વહેવાય છે, તેથી તેમાં તે ગણનાનું પ્રયોજન નથી. ૩-પરા પષ્ઠિત શ્રીપદ્માનન્દ ગણિકૃત પ્રશ્નોત્તર પ: છઠ્ઠું તિલ્લીન માં િ તિહી મઝા વારે ઈત્યાદિક વાક્ય કયા આગમમાં છે ? તે નામ જણાવવા કૃપા કરશો. કેમકે અહીં અંચલીયા રાજા સમક્ષ આ પ્રકારે બોલે છે, કે જુના જૈનગ્રંથોમાં ચાર પર્વો સિવાય બીજ, એકાદશી વિગેરે તિથિઓનું આરાધન કહ્યું નથી.” ઉત્તર:-છ વિહીન મ૦િ આ ગાથા શ્રાદ્ધ દિનકૃત્ય સૂત્રમાં છે અને તેનું વ્યાખ્યાન ૮-૧૪-૧૫ આ બન્ને પખવાડીયાની ૬ તિથિઓ આરાધ્ય છે અને બીજ, એકાદશી, વિગેરેનો પાઠ શ્રાદ્ધવિધિ ગ્રંથ સિવાય બીજે નથી, અને જ્ઞાનપંચમી આરાધવી મહાનિશીથમાં કહી છે. ૩-૫૨૮. પ્રશ્ન: તીર્થકર ભગવંતોને સમોસરણ ન થયું હોય, તો ચતુર્મુખપણું પણ ન હોય, ત્યારે દેશના વખતે બાર પર્ષદાની વ્યવસ્થા કેવી રીતે હોય? ઉત્તર:-સમોસરણના અભાવમાં પણ બાર પર્ષદાની વ્યવસ્થા સમોસરણ મુજબ જ હોય, એમ જણાય છે. ૩-૫૨૯ : તિવિહાર પચ્ચકખાણવાળા શ્રાવકો રાત્રિમાં સચિત્ત પાણી પીવે છે, તે કોઈ ગ્રંથમાં કહ્યું છે ? કે પરંપરાથી આવેલ છે? અને દિવસે સચિત્ત જલ કલ્પે નહિ, અને રાત્રિએ તેઓને કહ્યું, તેમાં શું યુક્તિ છે?
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy