SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ નિયમ નથી, એમ સંભવે છે. કેમકે પહેલા દિવસની સાંજે મેળવેલ દહીં ૧૨ પહોર પછી પણ અભક્ષ્ય થાય છે. તે ૩-૪૧ / પ્રશ્ન: જેણે ઘરસી-પચ્ચકખાણ ક્યું છે એવો શ્રાવક અન્ય ઘરે જઈ ભોજન કરે, તે દાંતણ કરીને કરે? કે નહિ? ઉત્તર:-ઘરસી પચ્ચકખાણવાળો શ્રાવક અન્ય ઘરે જઈ પચ્ચકખાણ પાળી ત્યાં દાતણ કર્યા સિવાય પણ ભોજન કરે, તે બરાબર છે, એમ વૃદ્ધો કહે છે. તે ૩-૪૨ / પ્રઃ કાલિક અને ઉત્કાલિક યોગની ક્રિયા ચક્ષુએ રહિત સાધુ પાસે કરવી કહ્યું? કે નહિ? ઉત્તર:-કોઈ પણ કારણથી ચક્ષુ ચાલી ગઈ હોય, તેવા અંધ સાધુ પાસે કાલગ્રહણવાળા કે કાલગ્રહણ વિનાના યોગોની કિયા પ્રાયઃ કરી શકાય નહિ, એમ જાણ્યું છે ૩-૪૩ II . . बारस मुहुत्त गन्भे, इयरे चउवीस विरह उक्कोसो। ગર્ભજ મનુષ્યનો ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત વિરહકાલ છે. અને સંમૂર્ણિમાનો ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્ત વિરહકાલ છે. તો સંમૂછિમ મનુષ્યનો ઉત્કૃષ્ટો ૨૪ મુહૂર્તનો વિરહકાલ કેટલા કાળે આવે? ઉત્તર:–આ જગતમાં મનુષ્યો સંમૂર્ણિમ અને ગર્ભજ એમ બે પ્રકારે છે. તેમાં સંમર્ણિમ મનુષ્યો કદાચિત હોતાજ નથી. જઘન્યથી એક સમયનું અને ઉત્કૃષ્ટથી ૨૪ મુહૂર્તનું તેનું આંતર સૂત્રમાં બતાવેલું છે. ઉપજેલાને તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહર્ત સુધી જીવવાનું હોવાથી તે પછી નિર્લેપકાળનો સંભવ છે, જ્યારે હોય, ત્યારે જધન્યથી એક, બે, અથવા ત્રણ હોય અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા હોય, અને ગર્ભજ તો સંખ્યાતા હોય એમ અનયોગદ્વારની ટીકામાં કહ્યું છે. ત્રસપણે ઉપજે, તે સતત જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમાં ભાગ સુધી ઉપજ્યા કરે. તે પછી જરૂર અંતર પડે છે. વળી, સામાન્ય ત્રસ જીવની મોઘમપણાની વાત દૂર રહી, પણ સ્પષ્ટ વાત છે કે બેઈદ્રિયો તે ઈંદ્રિયો, ચઉરિદ્રિયો, તિર્થક પંચેન્દ્રિયો, સંમૂર્ણિમ મનુષ્યો, અપ્રતિષ્ઠાન નરકાવાસાને છોડી તમામ નારકીઓ, અનુત્તરદેવને વર્જી તમામ દેવો નિરંતર ઉપજતાં જઘન્યથી એક સમય ઉપજે અને ઉત્કૃષ્ટથી આવલિકાના
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy