SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ સુઝે? કે નહિ? ઉત્તર:-પ્રાય: કરીને ઉપધાનમાં તે તપ કરવું સુઝે નહિ. ર-૩ર૧ પ્રશ્ન: સાધ્વી અને શ્રાવિકાઓથી દેવસિક પ્રતિકમણમાં સુઅ-દેવયા ભગવતી સ્તુતિ કહેવાય છે, તે અનુસાર સાધ્વીના અભાવમાં શ્રાવિકાઓથી, પકુખી સૂત્રના ઠેકાણે બોલાતા વંદિતુ સૂત્રના છેડે તે સ્તુતિ બોલાય છે, તે કહેવાય? કે નહિ? ઉત્તર:-સાધ્વીઓ અને શ્રાવિકાઓથી આ પ્રકારે સ્તુતિ કહેવાય છે, તેમાં સામાચારીજ પ્રમાણ છે. ર-૩૨૨ા વૃદ્ધ પંડિત શ્રી શુભવિષે ગણિકૃત પ્રશ્નોત્તરો. પ્રશ્ન: તીર્થકર સાથે જેઓ દીક્ષા ગ્રહણ કરે, તે તીર્થંકરની પેઠે પાક્કો ઉચ્ચાર વિગેરે કરે? કે બીજી રીતે કરે? ઉત્તર:-તીર્થકર સાથે દીક્ષા લેનારાઓ પોતે દક્ષ હોવાથી, તે તે ક્ષેત્રકાલના અનુસાર તપસ્યા ગ્રહણ કરે છે, પણ તીર્થકરની પેઠે પાઠનો ઉચ્ચાર કરતા નથી, પણ પહેલા તીર્થંકરની સાથે દીક્ષા લેનારા તીર્થંકરની પેઠે પાનો ઉચ્ચાર કરે છે, એમ જણાય છે. ર-૩૨૩ પ્રશ્ન: સંગ્રહણી અંતર્વાઓ વિગેરેમાં લોકાન્તિક દેવોના નવ નિકાયો બતાવ્યા, અને ઉત્તમ ચરિત્રમાં દશ બતાવ્યા, તો તેમાં સાચું શું? ઉત્તર:–બહુ ગ્રંથોમાં નવ નિકા કહ્યા છે, તેથી જે ઉત્તમ ચરિત્રમાં દશ બતાવ્યા હોય, તો મતાંતર જાણવું. ૨-૩૨૪ પ્રશ્ન: ચક્ષુરહિતને કેવલજ્ઞાન ઉપજે? કે નહિ? ઉત્તર:-ચક્ષુવિકલને કેવલજ્ઞાન ઉપજે છે. ૨-૩૨૫ પ્રશ્ન: કુંકાજલ, સીકરી જવ અને પાડલજલ દુવિહારમાં કહ્યું છે તેનું સ્વરૂપ શું? ઉત્તર:-કાજલ અને સીકરી જલ દેશવિશેષમાં પ્રસિદ્ધ હશે, અને પાડલજલ તો પાડલીવૃક્ષના પુષ્પનું પાણી છે. ૨-૩ર૬ાા
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy