SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર આખી પ્રજાના શારીરિક વિકાસનો આધાર રાખતા થવું. યુરોપની ગોરી પ્રજાઓના આર્થિક હિતો તથા પરદેશી વ્યાપારીઓના આર્થિક હિતો તેમજ ખુદ ઈંગ્લાડના અને તેની પ્રજાના આર્થિક હીતોના પ્રચારમાં આપણી પ્રજાના હિતો માનીને ભોળા થઈને સહકાર આપવો, હવે પછીના તેઓના સ્વાર્થી માટે ગોઠવાતી એવાજ પ્રકારની આજની પ્રજાકીય અને રાજકીય સત્તાઓના નામ નીચે ચાલતી કોંગ્રેસ વિગેરેની પ્રવૃત્તિઓમાં રસ લેવો, આ દેશમાંના ગોરી પ્રજાના વ્યાપક વસવાટના માર્ગોનિ ઉત્તજેન આપવાની દૃષ્ટિથી ઈડિયા ફિક્સ મારફત ઘડાયેલા કાયદાઓને દેશી રાજ્યોની અને બ્રીટીશ રાજ્યોની કોર્ટો, વકીલો, અમલદારો વિગેરે મારફત આપવામાં આવતો મજબુત ટેકો, કે જે કેટલાક ધીમેધીમે આ દેશની હિંદુ શબ્દની વ્યાખ્યામાં સમાતી ભારતીય આર્યપ્રજાના જીવનના અનેક અંગોમાં અને હિતનાં માર્ગોમાં પ્રવેશ કરી વિદ્ધભૂત બની શક્યા હોય છે, અને બનશે. દેશી રાજાઓ સામેનો કેટલોક ખોટો પ્રચાર, લઘુમતી અને યુરોપીય પ્રજાના સ્પેશ્યલ હકકો વિષેના, અને મૂળ એક સંપી તોડી હિંદુ મુસલમાનની આજની કૃત્રિમ એકસંપીના પ્રયાસો, સંપૂર્ણ કે સંસ્થાનિક સ્વરાજ્યની સ્થાપનાના પ્રયાસો, પ્રથમની કે વર્ધાસ્કીમની કેળવણી બેકારી ઉત્પન્ન કરનાર છે અને બેકારીથી ઉત્પન્ન થયેલ છે, તેને ટેકો, “હિંદુઓએ મજીદ આગળ વાજાં ન વગાડવા, અને મુસલમાનોએ ગોવધના સંબંધમાં હિંદુઓની લાગણીને માન આપવું ” એ જાતની મહાજનની એકસંપીની સંધિમાં સ્વતંત્રતાને નામે પાડવામાં આવતા ગાબડાઓની હિલચાલને સારી માનવી, હિંદુઓની સત્તા અને મર્યાદાઓ તોડવા મુસલમાનોને આડે ધરવા ધંધાના તથા સામાજિક કાયદાઓને ટેકો, વિગેરે. આપણી બેકારી ટાળવાના ખરા ઉપાયો -બેકારી ફેલાવનારા અને ફેલાતી બેકારીને ખોટી રીતે ઢાંકવાના માર્ગો ન હોવા, તેને ઉત્તેજન ન આપવું, એ જ આપણી બેકારી ઓચ્છી થવાના ઉપાય છે. નાનામોટા યંત્રોની મદદથી ખીલતા ધંધા અને હુન્નર ઉદ્યોગો વધુ બેકારી લાવશે. પરદેશગમન આર્યપ્રજાનો આ દેશ સાથેનો વસવાટનો હક્ક નાબુદ કરશે. વિઘોટીની પધ્ધતિ રાજય સંસ્થાને ઉત્પન્નમાં ભાગીદારને બદલે માલિક બનાવે છે. “ખેડે તેની જમીનમાં એ કામચલાઉ સિદ્ધાંત પરદેશી ખેડુતોને અહીંની જમીન અપાવવા માટે થશે. સહકારી મંડળીઓ અને લેણાદેણાના આજના કાયદા પરદેશી મૂડી ખેતીમાં રોકી, દેશી વેપારીઓને નિંદી તે ધંધામાંથી છૂટા કરવા માટે જણાય છે. ૧૫
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy