SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩ આ છૂટક પાનાની ગાથા છે. તે અનુસાર સ્થાવર જીવોની ઉત્પત્તિ સંભવે છે, પણ રાત્રિના સંબંધથી ત્રસ જીવોની ઉત્પત્તિ ન હોય એમ સંભવે છે.ર-૧૮૪ પ્રશ્ન; અપકૃત વસ્તુની અંદર મોણ વગરના રોટલી,ખાખરા અને ફલ વિગેરે ગણાય? કે નહિ? ઉત્તર:- ઘણા ગ્રંથોમાં અલેપ શબ્દ કરી વાલ, ચણા વિગેરે બતાવ્યા છે, અને બૃહત્કલ્પ ભાષ્યટીકામાં તો “મોણ વિનાની રોટલી, ખાખરા, સાથવો વિગેરે અલેપમાં કલ્પ” એમ બતાવ્યું છે. ર-૧૮૫II પ્રશ્ન: શ્રદ્ધાવાળાઓને આગમ ભણવાનો નિષેધ કયા કયા આગમમાં તથા પ્રકરણોમાં કહ્યો છે? ઉત્તર:-સમવાયાંગ સૂત્રમાં સાધુઓને આગમ ભણવાનો અધિકાર છે. કેમકે તેમાં આચારાંગ સૂત્ર વિગેરેનો ઉદ્દેશકાલ વિગેરે કહ્યું છે, તે સાધુઓને જ ઘટે છે. તેમજतिवरिस परियाअस्स उ, आयारपकप्पनाममज्झयणं। चउवरिसस्स य सम्मं, सूअगडं नाम अंगंति॥ “ત્રણ વર્ષના પર્યાયવાળાને નિશીથ અધ્યયન, ચાર વર્ષ પર્યાયવાળાને સમવાયાંગ-સૂયગડાંગ ભાણાવાય છે.” ઇસાદિક સાત ગાથા પંચવજીમાં કહી છે, અને આમાં પણ આચારાંગની યોગ્યતાને આશ્રયીને સાધુઓને જ દીક્ષાપર્યાયના વર્ષો ચોક્કસપણે કહ્યા છે. આ અર્થ વ્યવહાર ગ્રંથમાં પણ છે. આ પ્રમાણે સૂયગડાંગ સૂત્રમાં જે સવાપાતંતા એ અક્ષરો છે. માટે સાધુઓજ આગમ ભણવાના અધિકારી છે, પણ શ્રાવકો નથી. ર-૧૮૬ II પ્રઃ શ્રાવકોને તિવિહાર દુવિહાર પચ્ચકખાણમાં પાણી અને સ્વાદિમ ભક્ય છે? કે નહિ? ઉત્તર:-શ્રાવકોને તિવિહાર દુવિહારમાં પાણી અને સોપારી વિગેરે ભક્ય છે. પરંતુ આટલો તફાવત છે કે-જેણે સવારનું તિવિહાર પોરસી વિગેરે પચ્ચકખાણ કર્યું હોય, તેને એકાસણા વિગેરેના વખતે બેઠો હોય ત્યાં સુધી સ્વાદિમ કલ્પ, પણ ઉઠી ગયા પછી ન કલ્પ. અચિત પાણી તો બધામાં કલ્પ છે, અને દુવિહારમાં તો બન્નેય ભઠ્યપણે સંભવે છે. સાંજે તિવિહાર
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy