SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર:–દીવાળી કલ્પ અને દુષમાકાળ સ્તોત્રમાં શ્રાવક વિગેરેની સંખ્યા ઉત્કૃષ્ટ ભાંગે બતાવી હોય એમ સંભવે છે, અને આચાર્ય વિગેરેની સંખ્યા તો જધન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ આ ત્રણેય ભાંગે પણ છે. માટે અસંગતિની શંકા લાવવી નહિ. તેમજ આચાર્યની સંખ્યા બાબતમાં તો મહાનિશીથ અને પ્રવચન સારોદ્ધાર ટીકા એ બન્નેયને મળતી સંખ્યા કહી છે. ર-૧૫પા પ્રશ્ન: પચીસ યોજન ઊંચા બાર યોજન પહોળા અને એક યોજનના નાળવાળા એક કોડ સાઠ લાખ ક્લશોએ કરી જિનેશ્વરનો અભિષેક કરાય છે, એમ બતાવ્યું છે. તો આ એક કરોડ અને સાઠ લાખની સંખ્યાની ગણતરી કેવી રીતે કરવી? તે જણાવવા કૃપા કરશો. ઉત્તર:–અચુત ઇંદ્ર વિગેરે દર ઈંદ્રોના દર અને મનુષ્ય લોકના ૧૩ર સૂર્ય-ચંદ્રના ૧૩૨ એમ ૧૪ ઇંદ્રના, તથા ઉત્તર અને દક્ષિણ દિશાઓની અસુર કુમારની ઈંદ્રાણીના ૧૦, અને નાગકુમાર વિગેરે નવનું ઠેકઠેકાણે એક આલાવે સ્વરૂપ કહ્યું છે, માટે જાતિની અપેક્ષાએ ઉત્તર-દક્ષિણના અધિપતિઓની બાર ઈંદ્રાણીના ૧૨, એ પ્રકારે-વ્યન્તરેન્દ્રની ચાર ઈંદ્રાણીના ૪, તેમજ જ્યોતિષ્ક અધિપતિની ચાર ઇંદ્રાણીના ૪, પહેલા બે દેવલોકના ઈંદ્રની સોલ ઈંદ્રાણીના ૧૬, આ પ્રમાણે કુલ ઇંદ્રાણીના ૪૬ થાય, તથા સામાનિક દેવનો ૧ ત્રાયસિંશ દેવનો ૧ લોકપાલોના ૪ અંગરક્ષક દેવોનો ૧ પાર્ષદદેવોનો ૧ સેનાધિપતિ દેવોનો ૧ અને પ્રકીર્ણ એટલે છુટા છુટા દેવોનો ૧ એમ કુલ ૧૦ થયા. તમામનો સરવાળો કરીએ ત્યારે ૨૫૦ થાય. હવે કનકમય વિગેરે આઠ જાતિના ક્લશો દરેક આઠ આઠ હજાર છે, એટલે ૬૪૦૦ ક્લશા થયા. એટલે ૨૫૦ને ચોસઠ હજાર ગુણીએ ત્યારે એક કરોડ સાઠ લાખની સંખ્યા ક્લશોની થઈ. આ હકીકત છુટા પાનાઓમાં લખેલી જોવામાં આવે છે. ર-૧૫૬ પ્રશ્ન: રાયપણીયસૂત્રમાં તા વસિસ છે કે પાડ-વર્યાસ વિષે ના સાહી હત્યા આ પાઠમાં ને મનવયંસ એ પદનો શો અર્થ છે? ઉત્તર:–અનેક પ્રકારે ગતમાં ભાઈ ગણાય છે, તેથી મિત્રને પણ ભાઈ કહેવાય. ચિત્રસારથિ પ્રદેશી રાજાથી ઉમ્મરે મોટો છે, તેથી યે ભાતૃમિત્ર એટલે મોટોભાઇ કહેવાય છે. ર-૧૫ણા
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy