________________
પ્રસિદ્ધ છે.”-આ પ્રમાણે ચોથા શ્લોકનો સામાન્યર્થ છે.
અહીં કહેવાનો આશય એ છે કે સજજનો ગરુડ જેવા છે. ગરુડ સર્પનું હલન-ખંડન કરે છે. વિષ્ણુને તે ધારણ કરે છે, કારણ કે એ વિષ્ણુનું વાહન છે અને તેની ગરુડની ગતિ અસીમ છે. આવી જ રીતે સજજનો દુર્જનોનું ખંડન કરે છે, પોતાના આત્મામાં શ્રી તીર્થંકર પરમાત્માને ધારણ કરે છે અને અધ્યાત્મમાર્ગે તેઓશ્રીની અસીમગતિ છે. તેમ જ શેષનાગની પૃથ્વીને ધારણ કરવાની જે ગતિપદ્ધતિ છે તેમ સજજનો પણ પોતાની જવાબદારીને સારી રીતે વહન કરે છે. તેથી તેઓ અનંતગતિ છે. આ રીતે સજજનો પોતાના આત્મામાં અત્યંત આદરથી ગરુડની તુલ્યતાને ધારણ કરે છે એ સમજી શકાય છે. (૩૨-૪માં
* * * સજજન અને દુર્જનના ભેદને જ ફરી જણાવાય છે. અર્થાત્ પ્રકારતરથી સજજન અને દુર્જનના ભેદને જણાવાય છેसज्जनस्य विदुषां गुणग्रहे, दूषणे निविशते खलस्य धीः । चक्रवाकदृगहर्पते र्युतौ, घूकदृक् तमसि सङ्गमङ्गति ॥३२-५॥
વિદ્વાનોના ગુણને ગ્રહણ કરવામાં સજજનોની બુદ્ધિ જોડાય છે અને દુર્જનોની બુદ્ધિ તે વિદ્વાનોનાં દૂષણોને