SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ કારણે થયા હતા. સ્થિરાદિ દષ્ટિના કારણે એ અપાય પ્રાપ્ત થયા ન હતા. આવા અપાયની વિદ્યમાનતામાં પણ તેમની સદ્દષ્ટિઓનો વિઘાત(નાશ) થયો ન હોવાથી વસ્તુતઃ એ અપાય અનપાય જ છે. વજના ચોખા ગમે તેટલા રાંધીએ તોય તેનો પાક થતો ન હોવાથી ત્યાં જેમ વસ્તુતઃ પાક હોવા છતાં પાક નથી. તેની જેમ અહીં પણ શારીરિક દુઃખ હોવા છતાં શ્રેણિક મહારાજાદિના આશયમાં કોઈ વિકૃતિ આવી ન હતી. અહીં આ રીતે અપાયસહિતત્વ હોવા છતાં નિરપાયત્વનું જે રીતે નિરૂપણ છે તેમાં યોગાચાર્યો જ પ્રમાણભૂત છે... ઈત્યાદિ વિચારવું જોઈએ. આ વિષયમાં યોગદષ્ટિસમુચ્ચયના શ્લોક નં. ૧૯ થી જણાવ્યું છે કે“પહેલી ચાર દષ્ટિઓ સંભાવનાની અપેક્ષાએ પ્રતિપાતવાળી છે. તેવી છેલ્લી ચાર દષ્ટિઓ નથી. પ્રતિપાતને લઈને પહેલી આ ચાર દષ્ટિઓ જ અપાયવાળી છે. છેલ્લી ચાર દષ્ટિઓ પ્રતિપાતના કારણે અપાયવાળી નથી...” ઈત્યાદિ યોગદષ્ટિસમુચ્ચયથી સમજી લેવું જોઈએ. _૨૦-૨૮ાા. ઉપર જણાવ્યા મુજબ સ્થિરાદિ દષ્ટિએ પ્રતિપાતાદિથી રહિત છે તો ભવાંતરમાં ચારિત્રાદિ ફળનો અભાવ કેમ થાય છે ? કારણ કે કારણની વિદ્યમાનતામાં કાર્યનો અભાવ સત નથી. તેથી કાર્યના અભાવે તેના કારણભૂત દષ્ટિનો પણ અભાવ માનવો જોઈએ...આ શફાનું સમાધાન કરવા માટે જણાવાય છે
SR No.023225
Book TitleYogavatar Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy