________________
સત્રદ્ધાસત બોધ સાક્ષાત્ કે પરંપરાએ શૈલેશી અવસ્થાનો પ્રાપક હોવાથી કોઈ દોષ નથી. શ્લોકના ઉત્તરાર્ધ્વથી તાદશ બોધસ્વરૂપ દષ્ટિનો વિભાગ કરાય છે. અર્થાદ્ નામમાત્રથી જ તેના પ્રકારો જણાવ્યા છે. મિત્રા તારા બલા દીપ્રા સ્થિરા કાન્તા પ્રભા અને પરા : આ આઠ પ્રકારો દષ્ટિના છે. ૨૦-૨પા.
દટાન્તમાત્રથી દષ્ટિઓનું નિરૂપણ કરાય છેतृणगोमयकाष्ठाग्निकणदीपप्रभोपमा । रत्नतारार्कचन्द्राभा क्रमेणेक्ष्वादिसन्निभा ॥२०-२६॥
તૃણ(ઘાસ), ગોમય(છાણાં), કાષ્ઠના અગ્નિકણની અને દીપપ્રભાની ઉપમાવાળી તેમ જ રત્ન, તારા, સૂર્ય અને ચંદ્રની આભા જેવી કાંતિવાળી, ઈ(શેલડી) વગેરે જેવી કમે કરી મિત્રા તારા બલા દીપ્રા વગેરે દષ્ટિઓ છે.'-આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. એના ભાવાર્થને સ્પષ્ટ કરતાં ટીકામાં જણાવ્યું છે કે મિત્રાદષ્ટિ તૃણના અગ્નિના કણની ઉપમાવાળી છે. અર્થાત્ એ મિત્રાદષ્ટિનો બોધ તૃણના અગ્નિકણ જેવો અત્યંત અલ્પ અને અલ્પસ્થિતિવાળો હોય છે. તાત્ત્વિક રીતે એથી કોઈ અભીષ્ટ કાર્યની સિદ્ધિ થતી નથી. કારણ કે યથાસ્થિત પ્રવૃત્તિના આરંભકાળ સુધી તે બોધનું અવસ્થાન નથી. તૃણના અગ્નિના કણના પ્રકાશમાં જે કોઈ પણ પ્રવૃત્તિની શરૂઆત કરીએ ત્યાં તો તે અગ્નિ જેમ બુઝાઈ જાય છે તેમ અહીં પણ સારી રીતે પ્રવૃત્તિનો આરંભ કરીએ ના કરીએ