SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવર્તે છે... ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું. ૨૦-૩ વિચારાન્વિતસમાધિનું(સપ્રજ્ઞાતયોગનું) નિરૂપણ કરાય છેतन्मात्रान्तःकरणयोः, सूक्ष्मयो र्भावना पुनः । दिक्कालधर्मावच्छेदात्, सविचारोऽन्यथापरः ॥२०-४॥ દેશ અને કાળને લઈને સૂક્ષ્મ એવા ગંધાદિતન્માત્રા અને અન્તઃકરણના વિષયમાં જે ભાવના(ધ્યાનવિશેષ) છે; તેને સવિચારસમાધિયોગ કહેવાય છે. અન્યથા દેશ-કાળને આશ્રયીને ન પ્રવર્તતી ભાવનામાં જ્યારે માત્ર ધર્મી જ (પતન્માત્રા અને અન્તઃકરણ જ) ભાસે છે, ત્યારે એ જ સમાધિને “નિર્વિચારસમાધિયોગ” કહેવાય છે.”-આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ ગ્રાહ્ય સ્થૂલ અને સૂક્ષ્મ ભેદથી બે પ્રકારના છે. સ્થૂલ ગ્રાહ્યભાવ્યને વિષય બનાવીને જ્યારે ભાવના પ્રવર્તે છે ત્યારે વિતર્યાનુગતસમાધિ હોય છે. પરંતુ સૂક્ષ્મ ગ્રાહ્યને વિષય બનાવીને પ્રવર્તતી ભાવના હોય ત્યારે વિચારાનુગતસમાધિ હોય છે, જેના વિચાર અને નિર્વિચાર : એમ બે ભેદ છે. પૃથ્વી વગેરેના સૂક્ષ્મ પરમાણુ; ગંધાદિ પચતન્માત્રા અને સાખ્યદર્શનપ્રસિદ્ધ મહત્તત્ત્વ સ્વરૂપ અંત:કરણ સૂક્ષ્મ ગ્રાહ્ય છે. તેના ધ્યાન વખતે ઊધ્વદિ દેશ તેમ જ વર્તમાનાદિ કાળને આશ્રયીને જે ભાવના પ્રવર્તે છે, તે સવિચારસમાધિ
SR No.023225
Book TitleYogavatar Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy