SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પદમાં ફરમાવ્યું છે કે “ગુણસ્થાનક(ચતુર્થાદિ ગુણસ્થાનક)નો આરંભ કરનારા ભવ્યજીવોને માટે તેમ જ ગુણસ્થાનથી પતન પામતા આત્માઓને અટકાવવા માટે પ્રાય: ઉપદેશ સફળ છે. પરંતુ સ્થિરપરિણામવાળા માટે તે ઉપયોગી નથી.' આ પૂર્વે અઠ્ઠાવીસમા શ્લોકમાં; ‘જલોત્પત્તિમાં જેમ પવન-મનનાદિ અભિવ્યગ્ર છે, પણ કારણ નથી; તેમ ઉચિત પ્રવૃત્તિની પ્રત્યે ઉપદેશ પણ અભિવ્યઙ્ગક છે'-આ પ્રમાણે જણાવ્યું છે. એ ઉપદેશની વ્યગ્રતા પણ વસ્તુતઃ કારણતાસ્વરૂપ છે. ઉપદેશના કારણે ઉચિતપ્રવૃત્તિજનક પરિણામ પ્રાપ્ત થાય છે અને તેથી તે તે ગુણસ્થાનકને ઉચિત પ્રવૃત્તિ થાય છે. પરિણામબળથી અર્થાત્ સ્વજન્ય પરિણામવત્ત્વ(પરિણામ)સંબંધથી ઉપદેશ, પ્રવૃત્તિની અવ્યવહિત પૂર્વે વિદ્યમાન છે. આવા પ્રકારના સન્નિધાન સ્વરૂપ જ અહીં ઉપદેશમાં વ્યગ્રતા છે. આવી વ્યગ્રતા, કે જે તાદશ કારણતા સ્વરૂપ છે; તેને માનવામાં ન આવે તો ઘટાદિ કાર્યની પ્રત્યે ઠંડાદિને પણ વ્યગ્રક જ માનવા પડશે. કારણ કે ઘટાદિની પ્રત્યે પણ દંડાદિ પોતાથી જન્ય એવા ભ્રમણાદિ(ચક્રભ્રમણાદિ)ના સંબંધથી જ ત્યાં ઘટાદિની ઉત્પત્તિની અવ્યવહિત પૂર્વે વિદ્યમાન હોય છે... ઈત્યાદિ અધ્યાપકો પાસેથી સમજી લેવું જોઈએ. ઉચિત પ્રવૃત્તિના ફળનું વર્ણન કરાય છે ૪૫ ।।૧૭-૨૯૦
SR No.023222
Book TitleDaiv Purushkar Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy