________________
સ્વરૂપ જ તેની સાધ્યતા છે. આ પ્રમાણે પણ કહી શકાય એવું નથી. કારણ કે તે તે પ્રાગભાવ પોતાના તે તે પ્રતિયોગી(જેનો અભાવ હોય છે તે અભાવનો પ્રતિયોગી કહેવાય છે.)નો જનક હોવાથી કાલાંતરે દુ:ખ પ્રાગભાવથી નરકાદિ દુઃખોની અવશ્ય ઉત્પત્તિ થશે. પ્રાયશ્ચિત્ત કરવાથી, હિંસાદિ કર્મજન્ય નરકાદિ દુ:ખના પ્રાગભાવની સ્થિતિ ટકી રહે તો તે દુઃખપ્રાગભાવ પોતાના પ્રતિયોગી દુઃખનો નિયમા જનક હોવાથી ભવિષ્યમાં ગમે ત્યારે નરકાદિ દુઃખોની પ્રાપ્તિ-ઉત્પત્તિ ચોક્કસ જ થવાનો પ્રસદ્ગ આવશે... ઈત્યાદિ વિસ્તારથી ગ્રંથકારશ્રીએ અન્યત્ર-સ્યાદ્વાદકલ્પલતા વગેરે ગ્રંથોમાં જણાવ્યું છે. વિસ્તારથી જાણવાની ઈચ્છાવાળાએ ત્યાંથી જાણી લેવું જોઈએ. ૧૭-૧દો.
આ રીતે દૈવ અને પુરુષકાર પરસ્પર સાપેક્ષપણે ફળની પ્રત્યે સમાનરૂપે કારણ છે-તે જણાવ્યું. તે અંગે જે વિશેષ છે તે હવે જણાવાય છેविशेषश्चात्र बलवदेकमन्यनिहन्ति यत् । व्यभिचारश्च नाप्येवमपेक्ष्य प्रतियोगिनम् ॥१७-१७॥
દેવ અને પુરુષકાર બંન્ને, ફળની પ્રત્યે સમાનસ્વરૂપે કારણ હોવા છતાં તેમાં વિશેષતા છે કે એમાં જે બલવ છે તે બીજાને હણે છે. આમ છતાં પ્રતિયોગીની અપેક્ષા હોવાથી વ્યભિચાર આવતો નથી.”-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો