________________
જ ફળને આપનારું છે.' પરંતુ તે બરાબર નથી. કારણ કે આ લોકમાં થતા વ્યાપાર, ધંધો, નોકરી વગેરે સ્વરૂપ કર્મ(ક્રિયા)ને યત્ન કહેવાય છે અને પૂર્વભવના શરીરથી જન્મ જે છે તે કર્મ છે.’’-આ પ્રમાણે બારમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે સાખ્ખો એમ કહે છે કે પ્રધાન જેનું બીજું નામ છે તે કર્મ જ યોગની સિદ્ધિમાં કાવિશેષે તે તે કાર્યને કરનારું છે, પુરુષકાર ફળપ્રદ નથી. તે તે કર્મ જે કાળે પોતાના વિપાક(ફળ)ને દર્શાવવા સમર્થ બને છે, તે કાળને પાકેલો કાળ મનાય છે. કાળ પાકે ત્યારે જ તે તે કર્મ તે તે કાર્યને કરનારું બને છે. કાળનો પરિપાક ન થયો હોય ત્યારે કર્મથી પણ ફળની પ્રાપ્તિ થતી નથી. યોગબિંદુમાં એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે-સાંખ્યોએ કેવળ પુરુષકારથી રહિત કર્મ(પ્રધાન) જ કાલવિશેષને પ્રાપ્ત કરી તે તે કાર્યને કરનારું બને છે, એમ માન્યું છે.
પરંતુ સાંખ્યોની એ વાત બરાબર નથી. કારણ કે વ્યાપાર, ધંધો અને રાજાની સેવા વગેરે સ્વરૂપ નોકરી આદિ આ લોક સંબંધી કર્મોને યત્ન કહેવાય છે અને પૂર્વભવમાંના શરીરથી ઉદ્ભવેલું કે જે સંસ્કારસ્વરૂપે અથવા તેવા પ્રકારના કાર્યણવર્ગણાના પુદ્ગલના સંબંધના કારણે આત્મામાં અવસ્થિત છે તેને કર્મ કહેવાય છે. યદ્યપિ આથી સાફખ્સોએ જણાવેલી વાતની અયુક્તતા સ્પષ્ટ થતી નથી, પરંતુ તે હવે જણાવાશે. ।।૧૭–૧૨૫
૧૭