SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા નહિ. તેથી ઘટની પ્રત્યે ઉપયોગી બનતો દંડવિશેષ જ (ગ્રામસ્થ) કારણ છે. દંડસામાન્ય(અરણ્યસ્થ દંડાદિ) કારણ નથી” એ પ્રમાણે વિશેષ સ્વરૂપે કારણ માનીને સામાન્યથી કાર્યકારણભાવનો અપલાપ કરે છે, તે; ઘટાદિ કાર્ય માટે અરણ્યસ્થ દંડાદિમાં પ્રવૃત્તિ કરી શકશે નહીં. કારણ કે ઘટસાધનમ્ gr.. ઈત્યાદાકારક ઘટસાધનતાની બુદ્ધિના કારણે તે પ્રવૃત્તિ થતી હોય છે. સામાન્યને કારણ માનવામાં ન આવે તો ઘટની પ્રત્યે કયો દંડ કારણ બન્યો છે તેનો નિર્ણય તો ઘટની ઉત્પત્તિ પછી શક્ય બને છે. ઘટની ઉત્પત્તિ પૂર્વે એ શક્ય બનતું ન હોવાથી; ઘટની ઉત્પત્તિની પૂર્વે ઘટસાધનતાની બુદ્ધિ ન હોવાથી ઘટાદિ માટે અરણ્યસ્થ દંડાદિમાં પ્રવૃત્તિ શક્ય નહીં બને. “યદ્યપિ ઘટાદિ કાર્ય માટે અરણ્યસ્થદંડાદિમાં જે પ્રવૃત્તિ થાય છે તેમાં ઘટાદિસાધનતાની બુદ્ધિનું પૂર્વકત્વ નથી પરંતુ ઘટાદિકાર્યના સાધનભૂત ગ્રામસ્થદંડાદિસદશત્વનો તે દંડાદિમાં (અરણ્યસ્થ દંડાદિમાં) ગ્રહ હોવાથી ઘટની ઉત્પત્તિ પૂર્વે ઘટસાધનત્વની બુદ્ધિ છે. તેથી જ કાર્યલિફ્ટક (ધૂમાદિલિજ્ઞક) અનુમાનનો ઉચ્છેદ થતો નથી. અન્યથા સર્વથા અદષ્ટ તે તે ધૂમાદિને જોઈને વહિ વગેરેનું અનુમાન શક્ય નહિ થાય. ત્યાં પણ પૂર્વદષ્ટધૂમાદિસદશ ધૂમાદિના દર્શનથી સાદશ્યગ્રહાત્મક જ લિજ્ઞનું જ્ઞાન અનુમાનનું પ્રયોજક મનાય છે. અતર્જાતીયથી તર્જાતીયની ઉત્પત્તિ શક્ય નથી એ સમજી શકાય છે.”-આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે
SR No.023222
Book TitleDaiv Purushkar Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy