________________
વખતે અનુક્રમે દેવને અને પુરુષકારને પુરુષકારની અને દેવની અપેક્ષા છે એમ માનવું પડે અને તેથી સાપેક્ષને અસમર્થ માનવાનો પ્રસંગ આવશે. તેના નિવારણ માટે તે તે કાર્યની પ્રત્યે દૈવ અને પુરુષાર્થ એકને જ કારણ મનાય છે. પરંતુ તેની સાથે અનુક્રમે પુરુષાર્થ અને દૈવ હોવા છતાં તેને કારણ માનતા નથી.
આથી સમજી શકાશે કે સદ્ અને અસદ્દાવિદ્યમાન અને અવિદ્યમાન)માં કોઈ વિશેષ નથી. જેમ વિદ્યમાન પણ કારણ નથી; તેમ અવિદ્યમાન પણ કારણ નથી. આ રીતે સમાં અર્થક્રિયાકારિત્વ(સ્વકાર્યકરવાપણું) ન હોવાથી સત્ પણ અસદ્દ જ છે. કારણ કે “અર્થષિાકારિત્વએ વસ્તુનું વાસ્તવિક લક્ષણ છે. તેથી તે તે દૈવાદિકારણથી થનારાં તે તે કાર્યની પ્રત્યે દૈવાદિ જ કારણ છે, તેની સાથે રહેનારાં પુરુષાર્થાદિ કારણ નથી. સત્ પણ અસદ્ છે. એ પ્રમાણે સર નાતનું અહીં ગરિ પદથી જણાવ્યું છે. ૧૭-૩યા
નિશ્ચયનયની અપેક્ષાએ દૈવ અને પુરુષકારમાં નિરપેક્ષ કારણતાનું જ સમર્થન કરાય છે – विशिष्य कार्यहेतुत्वं द्वयोरित्यनपेक्षयोः । अवय॑सन्निधि त्वन्यदन्यथासिद्धिमञ्चति ॥१७-४॥
“આ રીતે દૈવ અને પુરુષકાર-બંન્ને પરસ્પર નિરપેક્ષપણે તે તે કાર્યવિશેષની પ્રત્યે કારણ છે. એકની સાથે બીજાનું