________________
વિલંબે કરાવતો હોવાના કારણે યોગને મુખ્યસ્વરૂપે કારણ માનવાથી અભવ્યની અને દૂરભવ્યની ક્રિયાનો અનુક્રમે વ્યવચ્છેદ કરાય છે અર્થાત્ એ ક્રિયાને યોગસ્વરૂપ માનવામાં આવતી નથી. કારણ કે અભવ્યની ક્રિયા ક્યારે ય મોક્ષનું ઉપાદાન બનતી નથી અને દૂરભવ્યની ક્રિયાઓ ખૂબ જ વિલંબે મોક્ષનું કારણ બને છે, જેથી તેમાં મોક્ષની કારણતા કે મોક્ષની મુખ્ય કારણતા માનવાનું શક્ય નથી અને તેથી તે યોગસ્વરૂપ પણ નથી. ૧૦-૨ા.
જ જ જ ચરમપુદ્ગલપરાવર્તકાળમાં જ યોગનો સંભવ છે. એની પૂર્વેના પુદગલપરાવર્તકાળમાં યોગનો સંભવ નથી તે દષ્ટાંતપૂર્વક જણાવાય છેन सन्मार्गाभिमुख्यं स्यादावर्तेषु परेषु तु । मिथ्यात्वच्छन्नबुद्धीनां दिङ्मूढानामिवाङ्गिनाम् ॥१०-३॥
“ચરમાવર્તને છોડીને બીજા આવન્તમાં (અચરમાવર્તકાળમાં) મિથ્યાત્વાદિથી આચ્છાદિત બુદ્ધિવાળા જીવો દિભૂઢ પ્રાણીઓની જેમ સન્માર્ગાભિમુખતાને પામી શક્તા નથી.” આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. આનો આશય એ છે કે છેલ્લા પુગલ પરાવર્તકાળને છોડીને અન્ય પુલપરાવર્તકાળમાં જીવોની બુદ્ધિ મિથ્યાત્વમોહનીયકર્મથી આચ્છાદિત હોવાથી સન્માર્ગ(મોક્ષસાધક માર્ગ)સન્મુખ તેઓ થઈ શકતા નથી. એ કાળમાં જીવોની