SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવની વૃદ્ધિમાં ક્રિયા કારણ છે. યદ્યપિ પૂર્વભાવથી જ ઉત્તરભાવ ઉત્પન્ન થતો હોવાથી ભાવની વૃદ્ધિમાં ક્રિયાને કારણ માનવાની જરૂર નથી. પરંતુ ભાવ ભાવનું કારણ હોવા છતાં જ્યારે ક્રિયા હોય છે ત્યારે ભાવના પ્રમાણની અધિકતા હોય છે અને જ્યારે ક્રિયા હોતી નથી ત્યારે ભાવના પ્રમાણની અધિકતા હોતી નથી. આ અન્વયવ્યતિરેકના કારણે ક્લિામાં ભાવવૃદ્ધિની હેતુતા મનાય છે... ઈત્યાદિ સમજી લેવું જોઈએ. શ્રી વીતરાગપરમાત્માના શાસનને છોડીને બીજા શાસનમાં પણ ઉપર જણાવ્યા મુજબ મોક્ષની પ્રત્યે ભાવની અને ભાવપૂર્વકની ક્રિયાની મુખ્ય હેતુતા સ્વીકારેલી છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનમાં એ મુજબ હોય તે સમજી શકાય છે. યોગમાર્ગની પ્રાપ્તિમાં આ રીતે ભાવની જ મુખ્યતા છે. ભાવને લઈને જ ક્રિયાની મુખ્યતા છે. પાણીની સેર અને ફૂપાદિખનનની ઉપમાથી ભાવ અને કિયાની મોક્ષ પ્રત્યેની ઉપયોગિતાનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. પાણી વિના ચાલતું નથી. એ માટે ફૂપાદિનું ખનન અનિવાર્ય છે. પરંતુ ગમે ત્યાં કૂપાદિના ખનનથી પાણી મળતું નથી. તેમ જ કૂપાદિના ખનન વિના પણ પાણી મળતું નથી. ભાવની પ્રાપ્તિ, રક્ષા અને વૃદ્ધિ માટે ક્રિયા ઉપયોગી છે અને ક્રિયાને સફળ બનાવવા માટે ભાવ ઉપયોગી બને છે. ઉભયસાપેક્ષ વસ્તુઓમાં અન્યતરના
SR No.023215
Book TitleYog Lakshan Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy