SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્માઓની અપેક્ષાએ કર્મ તદ્દન જ બળહીન છે. જ્યારે આપણે કર્મની અપેક્ષાએ બળહીન છીએ. આપણી આ અવસ્થાને સાંખ્યદર્શનની પરિભાષામાં પુરુષાભિભવસ્વરૂપ પ્રકૃત્યધિકાર કહેવાય છે. આવી અવસ્થામાં પુરુષને તત્ત્વમાર્ગની જિજ્ઞાસા પણ પ્રાપ્ત થતી નથી. શ્લોકમાં જણાવેલી વાતનો થોડો ખ્યાલ આવે; એટલા માટે અહીં થોડો પ્રયત્ન કર્યો છે. બાકી તો સાખ્યદર્શનની વાત એકાંતનિત્યાદિની તેમની માન્યતા પ્રમાણે સત નથી-એ અવસરે જણાવ્યું છે અને અવસરે જણાવાશે. કોઢ વગેરે ક્ષેત્રરોગના કારણે જેમ પથ્ય અને અપથ્યને આશ્રયીને અપથ્ય અને પથ્યની બુદ્ધિ સ્વરૂપ વિપર્યાસ થાય છે તેમ અહીં પણ સાધિકારપ્રકૃતિના કારણે તત્ત્વમાર્ગની જિજ્ઞાસા પણ થતી નથી... એ સમજી શકાય એવું છે. ૧૦-૨૦ગા. સાધિકાર પ્રકૃતિ હોય ત્યારે તત્ત્વમાર્ગની જિજ્ઞાસા પણ થતી નથી, એ જે રીતે ચોક્કસ કરાય છે તે જણાવાય છે पुरुषाभिभवः कश्चित्, तस्यामपि हि हीयते । युक्तं तेनैतदधिकमुपरिष्टाद् भणिष्यते ॥१०-२१॥ “તત્ત્વમાર્ગની જિજ્ઞાસા હોતે છતે પ્રકૃતિ દ્વારા થતો
SR No.023215
Book TitleYog Lakshan Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy