SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણે દશમા ોકનો અર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે આ પ્રણિધાનાદિ ધર્મક્રિયામાં શુભાશયસ્વરૂપ છે. આત્મપરિણામ સ્વરૂપ ક્રિયાની પુષ્ટિ, શુદ્ધિ અને અનુબંધના કારણભૂત એ પ્રણિધાનાદિ શુભપરિણામસ્વરૂપ છે. પુષ્ટિ પુણ્યના ઉપચય સ્વરૂપ છે અને જ્ઞાનાદિ આત્મગુણોનો ઘાત કરનારા જ્ઞાનાવરણીયાદિ કર્મના હાસથી પ્રાપ્ત થનારી નિર્મળતાને શુદ્ધિ કહેવાય છે. પુષ્ટિ અને શુદ્ધિ શબ્દ ખૂબ જ પ્રસિદ્ધ છે. તેનો અર્થ સમજાવવો પડે એવું નથી. ધર્મ, આત્માનો પરિણામવિશેષ છે. વિહિત આચરવાનો આત્મપરિણામ અહીં ક્લિા છે. એ ક્રિયાના પરિણામની જેમ જેમ અભિવૃદ્ધિ થાય ત્યારે તે ક્યિા પુષ્ટ બને છે અને જ્ઞાનાવરણીયાદિ કર્મના હાસથી(ક્ષયોપશમ વગેરેથી) તે નિર્મળ બને છે. તે નિર્મળતા જ અહીં શુદ્ધિસ્વરૂપ છે. શરીરમાં માંસ વગેરેના સંચયથી જેમ પુષ્ટિ મનાય છે અને તેના મલના દૂર થવાથી જેમ નિર્મળતા સમજાય છે. તેમ અહીં પણ ક્રિયા કરવાથી જે પુણ્યબંધ થાય છે; તે પુણ્યના ઉપચય સ્વરૂપ પુષ્ટિ છે અને જ્ઞાનાવરણીયાદિ પાપકર્મના વિગમથી પ્રાપ્ત થતી નિર્મળતા શુદ્ધિ છે અને ઉત્તરોત્તર પુષ્ટિ અને શુદ્ધિ પ્રામ થતી રહે તે અનુબંધ છે. પ્રણિધાનાદિ આશયવિશેષને લઈને પુષ્ટિ અને શુદ્ધિ સાનુબંધ બને છે. નિરનુબંધ પુષ્ટિ અને શુદ્ધિ ફળપ્રદાન માટે સમર્થ બનતાં નથી. પ્રણિધાનાદિ પાંચ આશય વિનાની ધર્મક્રિયા શુદ્ધ ન
SR No.023215
Book TitleYog Lakshan Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy