________________
શ્રી જિનેશ્વર દેવોને છોડીને અન્ય કોઈ પણ દેવમાં મહત્ત્વ સિદ્ધ થતું નથી. માત્ર શ્રી જિનેશ્વરદેવમાં જ પારમાર્થિક મહત્ત્વ છે. એ પણ માત્ર બાહ્ય સંપદાને લઈને નથી; પરન્તુ અવિસંવાદી(મોક્ષસ્વરૂપ ફળને પ્રાપ્ત કરાવનારા) વચનને લઈને જ છે. આ સંસારથી મુક્ત બની પરમાનન્દને પ્રાપ્ત કરવા માટે શ્રી તીર્થંકર પરમાત્માના જ વચનની આરાધના સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. ભગવાન શ્રી તીર્થંકર પરમાત્માની ભક્તિ; પરમાર્થથી તો તેઓશ્રીના પરમતારક વચનની આરાધનામાં જ રહેલી છે. સમસ્ત દ્વાદશાદ્ગીની રચના પરમપદની પ્રાપ્તિના એકમાત્ર ઉદ્દેશથી થયેલી છે. મુમુક્ષુ આત્માઓને એ ઉદ્દેશની સિદ્ધિ માટે શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાની આરાધના કઈ રીતે કરવી જોઈએ, તેનું વિસ્તારથી એમાં વર્ણન છે. આવા શ્રુતસમુદ્રનું અવગાહન કરવાથી જે સાર પ્રાપ્ત થાય છે, તેનું વર્ણન આ શ્લોકમાં કર્યું છે. અત્તે શ્રી અરિહન્તપરમાત્માની એ ભક્તિ કરવા દ્વારા આપણે પરમાનન્દના ભોક્તા બની રહીએ એ જ એક શુભાભિલાષા.... ૪-૩રા
| તિ શ્રીનિનમહત્ત્વ-દાવિંશિT |
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । सायातमुफ्काराय चन्द्रगुप्तेन धीमता ॥
ના વાડા, અને