SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગ છે. અથવા સંવિગ્ન બહુ જનોએ આચરેલું માર્ગ છે. ધર્મરત્નપ્રકરણમાં ખૂબ જ સ્પષ્ટપણે માર્ગનું સ્વરૂપ વર્ણવ્યું છે. વિસ્તારથી જાણવાના અર્થીએ ત્યાંથી જાણી લેવું. અહીં એ વાત સંક્ષેપથી જણાવી છે. ૩-૧ાા. શ્રી સર્વશપરમાત્માએ કહેલો વિધિ સ્વરૂપ શબ્દ માર્ગ છે જ. પરન્તુ સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ આત્માઓનું આચરણ પણ માર્ગ છે -એ માનવાનું બરાબર નથી, કારણ કે વાદ્યાર્થજ્ઞાનાદિના ક્રમે ભાવનાજ્ઞાનમાં પ્રધાનપણે આજ્ઞાનું જ પ્રામાણ્ય વર્ણવ્યું છે. આજ્ઞાના પ્રામાણ્યથી જ દરેક અનુષ્ઠાનોનું પ્રામાણ્ય વ્યવસ્થિત છે. શિષ્ટાચારની પ્રામાણિક્તા પણ શ્રી સર્વજ્ઞપરમાત્માના શબ્દની પ્રામાણિકતાને લઈને છે. તેથી સ્પષ્ટ છે કે શ્રી સર્વજ્ઞપરમાત્માનો શબ્દ જ માર્ગ છે. શિષ્ટાચારને માર્ગ માનવાની આવશ્યકતા નથી. આવી શંકાના સમાધાનમાં જણાવાય છે – द्वितीयानादरे हन्त प्रथमस्याप्यनादरः । जीतस्यापि प्रधानत्वं साम्प्रतं श्रूयते यतः ॥३-२॥ “શિષ્ટાચરણને પ્રવર્તક તરીકે આદરવામાં ન આવે તો શ્રી સર્વજ્ઞપરમાત્માના વચનનો પણ વસ્તુત: અનાદર જ થાય છે. કારણ કે વર્તમાનમાં જીતાચારનું પણ પ્રાધાન્ય પ્રસિદ્ધ છે.” - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી સર્વજ્ઞ ભગવાનનો શબ્દ અને સંવિગ્નાશઠ એવા ગીતાર્થપુરુષોનું આચરણ (શિષ્ટાચરણ): આ બે પ્રકારના માર્ગમાં બીજા શિષ્ટાચારને માર્ગ તરીકે માનવામાં ન આવે તો ખરી રીતે
SR No.023208
Book TitleMarg Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy