SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ + ( ૧૨ ) રાણીના આટલા આગ્રહ પછી ધણી મહેનતે તેણીએ જવાબ આપ્યા: મહારાણી ! લજ્જાસ્પદ અને સાધુજનેાથી નિતિ મારુ ચરિત્ર સાંભળવાથી તમને શુ ફાયદો થવાને! છે ? વળી પ્રેમમાં આસક્ત જીવા, પ્રિયવિરહરૂપ અગ્નિજ્વાળાથી દગ્ધ થતાં અહીંજ તીવ્ર દુઃખના અનુભવ કરે છે, તેના સંબંધમાં વિચાર કરવાથી તમને શું ફાયદો થવાના છે ? આ પ્રમાણે જણાવી દીધ નિસાસા મૂળ તે સુધરીએ ખેલવું અધ કર્યું.. તે સુંદરીના આવા વિરહ-વ્યથિત શબ્દો સાંભળી રાણી ચંદ્રલેખા વિચારવા લાગી કે-આ સુંદરી પેાતાના કાઈ પણુ વલ્લભ-ધૃષ્ટ મનુષ્યના વિયેાગવાળી છે. તેનું મન શાંત થયા સિવાય અત્યારે આગ્રહ કરીને પૂછ્યુ તે તેને દુઃખકĒ હાઈ નિરુપયેાગી છે. એમ ધારી ચંદ્રલેખાએ જણાવ્યું હે સુતનુ ! ચાલે! તે વાત સાંભળવાના મતે કાંઈ આગ્રહ નથી, છતાં હું તમને જણાવું છુ કેઆજથી તમે મારાં નાનાં બહેન છે. એટલે પેાતાની બહેન પાસે જેવી રીતે નિભય અને આનંદથી રહેવુ જોઇએ, તેવી રીતે નિઃશંક થઇ તમારે મારી પાસે રહેવું. આ વાત તમારે કબૂલ કરવી જ પડશે. આ અવસરે ચંદ્રોછી હાથમાં ભેણુ લઇ રાણી ચઇંદ્રલેખા પાસે આવ્યે । સુંદરીની સાથે સભાષણ કરતી રાણીને જોઇ, તે કોશીના મનમાં રાણી તરફથી કાંઈક શંકા પેદા થઇ. સાશંક હૃદયે ોષીએ વિનયપૂર્વક રાણીને જણાવ્યું કે–વામિની ! સમુદ્રની અંદર આવેલા વિમળ પર્વત ઉપર એકાકીપણે ફરતી આ સુંદરી મારા પુત્રને મળી આવી છે. મારા અને મારા પુત્રના ધારવા પ્રમાણે આ કોઇ રાજકુમારી છે અને કાઈ વિધાધરે તેણીનુ કાંઈ સ્થળેથી હરણ કરી તે પત ઉપર લાવી મૂઠ્ઠી જણાય છે. બહેનપણે અંગીકાર કરી મારા પુત્ર તેને અહીં લાવ્યેા છે. પેાતાના વિનયાદિ ગુણથી જ ગૌરવ પામેલી આ સુંદરીમાં અને મારી પુત્રીમાં મને કાંઇ અંતર નથી, અર્થાત્ મારી પુત્રી પ્રમાણે આ
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy