SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯૩ ) તને અનુભવ છે, માટે કડવાં વિપાક આપનાર ભવવાસને ત્યાગ કરી ઉત્તમ યા પ્રબળ સત્વવાન મનુષ્યને લાયક ચારિત્ર ગ્રહણુ કરવું તે તને યેાગ્ય છે. તેમ કરવાથી જ આ તારી માનવિજ દગી સફળ થશે. ભગવાન મહાવીરદેવના ઉપદેશથી ચડવેગ પ્રતિષેધ પામ્યા અને તરત જ વીર પરમાત્મા પાસે તેણે ચારિત્રને સ્વીકાર કર્યાં. દેવી સુદર્શના, પેાતાના ભાઇને ચારિત્ર ગ્રહણ કરાવવારૂપ ઉત્તમ રીતે પ્રતિખેાધ અપાવી, હુ` પામતી સપરિવાર ઇશાન દેવલોકમાં ગઇ. ચ'ડવેગ મુનિને વીર પરમાત્માએ ઉત્તમ શિક્ષા આપી. મહાનુ ભાવ ! તમારે નિરંતર અપ્રમત્તપણે રહેવુ. છ નિકાયના સર્વાં જીવાનુ સર્વ પ્રકારે રક્ષણુ કરવુ. ઉપયેાગપૂર્વક સમિતિ, ગુપ્તિનુ પાલન કરવું. ખડ્ગની ધારની માફક તિક્ષ્ણ પાંચ મહાવ્રતાનું પાલન કરવું. નિરંતર જ્ઞાન, દર્શન, ચારિત્રમાં વૃદ્ધિ કરવી. સુત્ર, અર્થ માંથી સાર-તત્વ ગ્રહણુ કરવું. ધમા માં આત્મશક્તિ ખીલકુલ ન છુપાવવી. સત્તર પ્રકારે સંયમનું પાલન કરવું. અઢાર પ્રકારે સુવિશુદ્ધ બ્રહ્મચર્ય શુ િધારણ કરવી, દુઃસદ્ધ પરિસંહે સહન કરવા. શરીરના નિર્વાહ અર્થે ખેતાલીશ દાષરહિત આહાર લેવા. ગુરૂકુળવાસમાં નિત્ય વસવું, ઇંદ્રિયરૂપ ઘેાડાઓને સારી રીતે દમીને વશ રાખવા. રાગ, દ્વેષ!દિ સુભટના વિષય કરવા. પરિણામની વિશુદ્ધિરૂપ શ્રેણિ પર આરૂઢ થઈ યથાખ્યાત ચારિત્ર મેળવવું. અપ્રશસ્ત કૃષ્ણાદિ લેશ્યાએ ના ત્યાગ કરવા. શુકલાદિ પ્રશસ્ત લેસ્યામાં વૃદ્ધિ કરવી. મેહને ત્યાગ કરવા. આ, રૌદ્રધ્યાન પાસે પણ આવવા ન દેવાં. ધર્મધ્યાન તથ શુક્લધ્યાનમાં પ્રવેશ કરવા. અપ્રતિબદ્ધ થવું, શરીર ઉપર પણ મમત્વભાવ ન રાખવા. છેવટે પંડિત મરણે મરણ પામી જન્મમરણના ફેરાથી નિત્યને માટે મુક્ત થવું. ઇત્યાદિ મહાવીર પ્રભુના મુખથી હિતશિક્ષા પામી તે મુનિ પોતાના આત્માને કૃતાર્થ માનતા પ્રભુ સાથે વિહાર કરવા લાગ્યા. અનુક્રમે
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy