________________
(૩૮૬)
ભદ્રે ! રાજકુમારી સુદર્શન માતપિતાને નમસ્કાર કરી, સિંહલદીપથી જ્યારે ભરૂચ્ચમાં આવી, ત્યારપછી તેની ધાવમાતા. કમલા ભરૂયથી પાછી સિંહલદ્વીપમાં આવી ત્યારે સુદર્શન આગળ યુનિશ્રીએ જે ધર્મોપદેશ આપ્યો હતો તે તેમને કહી સંભળાવતાં તથા સુદર્શનાના પૂર્વભવ સંબંધી ચરિત્રનું સ્મરણ કરતાં આખા રાજકુટુંબમાં વિશેષ પ્રકારે વિરકતભાવ ઉત્પન્ન થયે. આત્મસાધન કરવાને તૈયાર થયેલા સિંહલેશ્વરે ઘણી આજીજી કરી વસંતસેન નામના સર્વથી લધુ પુત્રને રાજ્યાભિષેક કર્યો, કારણ કે તે પણ પોતાની લધુ બેનનું ચરિત્ર સાંભળી વિરકત દશા પામ્યું હતું. પદ્મા નામની બીજી ધાવમાતાના પુત્રને સહાયક તરીકે સેવે અને માતાની માફક પડ્યા ધાવમાતાને તે કુમારની પાસે મૂકીને ચંદ્રગુપ્ત (સિંહલદ્વીપના) રાજાએ રાજ્યલક્ષ્મીને ત્યાગ કરી, કુટુંબસહિત સુર્શનાના નિમિતથી વૈિરાગ્ય પામી ચારિત્ર લીધું. તેઓ સર્વે ઉગ્ર તપશ્ચરણ કરતાં આ માનવદેહને ત્યાગ કરી દેવભૂમિમાં દેવપણે ઉત્પન્ન થયા.
વસંતસેન સિંહલદ્વીપમાં રાજ્ય કરતું હતું. તેણે પણ અવસરે રાજયલક્ષ્મીનો ત્યાગ કરી ચારિત્ર લીધું, પણ ચારિત્રમાં દૂષણ લગાડી કાંઈક વિરાધના કરી, મરણ પામી ભૂવનપતિદેવની નિકાયમાં દેવપણે ઉત્પન્ન થયા. તે ભૂવનપતિદેવનું આયુષ્ય પૂર્ણ કરી, આ જન્મમાં વૈતાઢય પહાડની દક્ષિણ એણિ ઉપર આવેલા ચંદ્રરથનગરમાં ચંડવેગ નામના વિદ્યાધર રાજપણે ઉત્પન્ન થયો. ઉત્તમ રૂપ, લક્ષણાદિ ધારણ કરતે અનુક્રમે યૌવન અવસ્થા પામે.
એક દિવસ ક્રિીડા કરતાં કરતાં તે ભરૂચ્ચનગર તર૬ જઈ ચડે. ત્યાં રહેલા સમળીવિહાર ચત્યમાં કિન્નર, ગંધર્વ અને યક્ષ પ્રમુખની દેવીઓનું મધુર ગાન સાંભળી તે, તે મંદિરમાં ગયો. એ અવસરે મંગળાચરણ બેલી, પુષ્પવૃષ્ટિ કરતાં દેવાંગનાઓએ દેવાધિદેવ આગળ ગંભીર અર્થની સ્તુતિવાળું ગાયન શરૂ કર્યું હતું. સાથે સાથે ભકિતભાવતી અધિકતાથી અમર વધુઓ નય પણ કરતી હતી. તે પ્રસંગની પૂર્ણ