SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫૧ ) પૂર્વજન્મના વૃતાંતથી વાકેફ્ કર્યાં. રાજાએ તેને ધીરજ આપી. પુત્ર ! ઉત્સુકતયા તારા ચરિત્રને ચિત્રમાં આળેખવાથી તારા ધર્મગુરૂ જલ્દી ઓળખી કઢાશે યા શેાધી શકાશે. રાજાના આદેશ પ્રમાણે નંદનવનમાં એક મહાન જૈનમ ંદિર આંધવામાં આવ્યું. તે મંદિરમાં ઓળખાતાં ચિત્રામણને સ્થાને છેવટની સ્થિતિમાં પડેલા જીણુ વૃષભનું ચિત્ર દોરવામાં (આળેખવામાં) આવ્યું. તેની પાસે ઉભેલા એક મનુષ્ય નમસ્કાર મંત્ર તેને સંભળાવે છે. ઇત્યાદિ પૂર્વજન્મના સંપૂર્ણ ઇતિહાસનું સૂયક સુંદર ચિત્ર તે મંદિરમાં ચિતરવામાં આવ્યું. રાજકુમારે પોતાના માણસોને હુકમ કર્યો કે-આ ચિત્ર દેખીને કોઈપણ માણસ કોઇને પ્રશ્ન કરે કે, આ ચિત્ર કોણે બનાવરાવ્યું છે ? શા ઉપરથી બનાવ્યું છે ? વિગેરે. તે તે મનુષ્યને ત્યાં શી તેના સમાચાર તરત જ મને આપવા. ઇત્યાદિ સૂચના કરો રાજકુમાર પાતાના ટા માં લાગ્યું.. એક વખત ોષીપુત્ર પંકજમુખ તે જિનભૂવનમાં ભગવાનના દર્શન કરવા નિમિત્તે આણ્યે. દર્શન કર્યા બાદ-આ ચિત્ર નિહાળતા તેને ધણુ' આશ્ચય' લાગ્યું. તેણે ત્યાં રહેલા રાજપુરૂષાને પૂછ્યું . ભાઇએ ! આ ચિત્ર કેાના કહેવાથી અને શા ઉપરથો આલેખવામાં આવ્યું છે? આ પ્રશ્નના ઉત્તર ન આપતા તેને ત્યાં જ રાષ્ટ્રી, રાજપુરૂષોએ કુમારને સમાચાર આપ્યા. કુમાર તરતજ ત્યાં આવ્યેા. શ્રોીપુત્રને સ્નેહથી આલિંગન આપી, રાજકુમારે પોતાનું સર્વ વૃત્તાંત્ત તેની આગળ નિવેદિત કર્યું. છેવટે જણાવ્યું–હે પરમગુરૂ ! તમારા પ્રસાથી · જ આ સર્વ સંપદા મને મળી છે. આ રાજ્ય, આ પરિજન, દેશ, ભંડાર વિગેરે તમારે આધીન છે, મને જે કરવાલાયક હોય તે કરવાને આદેશ આપે,
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy