SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪૭) એટલું જ નહિં પણ ગુણવાન ઉપર હૅષ ધારણ કરતી ધર્મની નિંદા કરવા લાગી. વૈધવ્યદુઃખથી દગ્ધ થઈ, થોડા જ વખતમાં આધ્યાને મરણ પામી, ભવિતવ્યતાના નિવેગે તેજ વનમાં હરિણપણે ઉત્પન્ન થઈ. તે હરિને દેખી તેને મેળવવા માટે પેલા બે મૃગ આપસમાં લડવા લાગ્યા. લડતાં લડતાં બન્ને મૃગે મરણ પામી એક ગામમાં પાડાપણે ઉત્પન્ન થયા. હરિણું પણ તેના ધ્યાનમાં-વિચારમાં મરણ પામી તે જ ગામમાં મહિષી ભેંસ)પણે ઉત્પન્ન થઈ અહા ! કર્મની ગતિ ! આ જ મહિષી માટે આપસમાં યુદ્ધ કરતા અને પાડાઓ મરણ પામી, વનમાં મદોન્મત્ત હાથીપણે બને ઉત્પન્ન થયા. મહિષી પણ મરણ પામી કર્મયોગે તે જ વનમાં હાથણપણે ઉત્પન્ન થઈ. વરના કારણથી આ પ્રમાણે ત્રણે જણુંઓ નિયચના ભાવમાં નાના પ્રકારનાં દુ ખ સહન કરતાં હતાં. આ તરફ ધનદત્તને પોતાને ભાઈ અને શ્રીકાંતને મરણું પામ્યા જાણ મહાન રિાગ્ય ઉત્પન્ન થયો. વૈરાગ્ય અને ઉદાસીનતાની ધૂનમાં એકદમ ગામ છોડી દઈ તે દેશાંતરમાં ચાલ્યો ગયો. પૃથ્વીતળ પર પારિભ્રમણ કરતાં તે રાજપુરપાટણમાં આવી પહેઓ. રાત્રીએ એક સ્થળે કેટલાએક મુનિઓ તેના દેખવામાં આવ્યા. હનદત્ત સુવા, તૃષાથી પીડાતો હતે. તેની પાસે આજીવિકાનું સાધન કંઈ પણ ન હતું. મુનિના આચારને નહિં જાણનારા ધનદ મુનિ પાસે ભેજનની પ્રાર્થના કરી. મુનિઓએ દય દ્ર ચિર જણાવ્યું. મહાભાગ્ય ! સાધુએ નિઃસંગ વૃત્તિવાળા હેવાથી, અને નિર્દોષ ભિક્ષાવૃત્તિ ક્રરતા હેવાથી, તેમની પાસે દિવસે પણ આહારાદિ વધારે હોતો નથી તે રાત્રીએ તેમની પાસે ભેજના ક્યાંથી જ હેય? રાત્રીએ ભોજન કરવું તે સર્વ મનુષ્યો માટે અયોગ્ય છે. અમે પણ રાત્રીએ ભોજન કરતા નથી. ચર્મચક્ષુવાળા જીવોને નહિં દેખી શકાય તેવા સૂક્ષ્મ જીવો, રાત્રીએ વિશેષ હોવાથી તેના રક્ષણને
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy