SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ (ર૪૬) એટલો બધો આસક્ત થયો હતો કે, રાત્રીનો એક પહેર વ્યતીતા થઈ ગયો. છેવટે દેહલે રાજાને કહ્યું. સ્વામિન્ ! મારા વહાણમાં દ્રવ્ય ઘણું છે, માલીક સિવાય દ્રવ્યરક્ષણની ગરજ બીજાને તેટલી ન હોય તે સ્વાભાવિક છે માટે મને રજા આપે. હું પ્રભાતે ; પાછો ” આપની પાસે આવીશ. ભવિતવ્યતાના નિયોગથી રાજાએ સ્વાભાવિક છીને કહ્યું, તમે ચિંતા ન કરે. હું મારા પ્રતીતિવાળા માણસને તેનું રક્ષણ કરવા મોકલું છું. અને તમે તે રાત્રિએ અહીં જ રહે. - રાજાના આગ્રહથી એછીએ તેમ કબૂલ કર્યું. એટલે રાજાએ પિતાની પ્રતીતિવાળા માણસને વહાણના રક્ષણ માટે મોકલ્યા. અનુકૂળ કર્મના કારણથી સમુદ્રમાં રહેલાં મોટાં વહાણો જોવાની ઈચછા રાજકુમારોને થઈ. કુમારેએ હઠ લીધી કે–પિતાજી ! તે વહાણે જેવા જવા અમને આજ્ઞા આપે. કુમારના આગ્રહથી પિતાના માણસ સાથે બન્ને કુમારને ત્યાં જવા આજ્ઞા આપી. બન્ને કુમારો સમુદ્રને કિનારે આવ્યા. આજુબાજુનાં વહાણે દેખ્યાં. અને સામાન્ય રીતે તપાસ્યાં. વખત ઘણે થઈ જવાથી રાત્રીએ ત્યાં જ સૂઈ રહેવાનો નિશ્ચય કરી, બન્ને કુમારો તે શ્રેણીના મુખ્ય વહા. ગુની પાસે નજીકમાં સુતા. રાત્રીના ચોથા પહેરે ના ભાઈ જાગૃત થઈ મોટા ભાઇને કહેવા લાગ્યો. ભાઈ ! ઠંડી વિશેષ લાગે છે-હજી રાત્રી બાકી છે, તે એક આશ્ચર્ય ઉત્પન્ન થાય તેવી સુંદર કથા કહે. જેથી પાછલી રાત્રી સુખે પસાર થાય. મોટાભાઈએ કહ્યું-બધું ! આશ્ચર્ય કરવાવાળું તે આપણું જ ચરિત્ર છે. તે જ તને સંભળાવું. બીજાનાં ચરિત્ર સાંભળવાથી શું કાયદે છે ? નાનાભાઈએ તેમ કરવા હા કહી એટલે મોટા કુમારે પિતાની બનેલી હકીકત સર્વ જણાવી–જેમાં વીલ પિતા તરફના
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy