SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૨૬) દુઃખી થયું નથી ? મહાન પુરૂષાને માથે દુઃખ આવે તેમાં કાંઇ આશ્ચર્ય નથી. કહ્યું છે કે चंदस्स खओ न हु तारयाण रिद्धीवि तस्स न हु ताण । गरूयाण चडणपडणं इयराण पुग निच्च पडियत्ति ||१|| ચંદ્રતા ક્ષય થાય છે પણ તારાના ક્ષય થતા નથી. રિદ્ધિ પણ ચંદ્રને જ છે, તારાને તેવી રિદ્ધિ (પ્રકાશ) નથી. મહાન પુરૂષોને જ ચડવુ પડવુ થાય છે. ખીજાએ તેા નિરંતર પડેલા જ છે. કુમાર, પત્ની, પુત્રો સાથે માળીને ઘેર જ રહ્યો. પાતાની પાસે જે આભરણાદિ દ્રવ્ય હતુ તે ભેાજનાદિ માટે કેટલાક દિવસ તે ચાલ્યુ ́ પશુ આવક ન હોવાથી તે દ્રવ્ય ખૂટી જતાં કુમારને ઘણા ખેદ થયા. પાડલ માળીએ કહ્યું-ભાઇ ! વ્યવસાય કર્યા સિવાય દ્રવ્ય કર્યાં સુધી પહોંચે ? (ઉધમ કરવાની જરૂર છે.) દૈવ કાંઈ વ્યવસાય કર્યો સિવાય મનુષ્યાને ઘેર દ્રવ્યના ઢગલા કરતા નથી. કુમારે કહ્યું. પાડલ, તારૂ કહેવુ ખરૂં છે. તું મારે લાયક કાઇ વ્યવસાય બતાવ કે ઉદરનિર્વાહ અથે હું તેમાં પ્રયત્ન ક માળીએ કહ્યું. મારા બગીચાની બાજુના ભાગમાંથી પુષ્પાદિક એકઠાં કરી બજારમાં જઇ વેચે, તેમાંથી તમારૂં ગુજરાન ચાલશે. તેના બદલામાં, જમીન સાફસુફે કરવામાં અને ઝાડને પાણી પાવામાં મને તમે સાદ કરજો. માળીએ પાતાની નજર કે સ્થિતિના પ્રમાણમાં કુમારને વ્યવસાય તાગ્યે. કુમારને પણ પોતાના ઉદય કે વખતના પ્રમાણમાં આ વ્યવસાય ડીક લાગ્યા, અને તેથી તે પ્રમાણે કરવા કબૂલ કર્યું. ખરી વાત છે, મનુષ્યાએ વખત ઓળખવા જોઇએ. કહ્યું છે કે
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy