SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ <3 ળીને તે કુપાળુ રાજાએ તે દંડને પાછા ખે`ચી લીધા. પછી રત્નશેખરને સાથે લઈને ચિત્રસેન તેની નગરીએ ગયા, અને રત્નશેખરને ફરીથી ગાઢી ઉપર બેસાડયો. તેને સેવક બનાવીને તથા મિત્રની જેમ તેની સાથે વતીને તથા તેના આદર સત્કાર સ્વીકારીને ચિત્રસેન લશ્કર સહિત પેાતાના નગર તરફ ચાલ્યા. ચારે પ્રકારના લશ્કર સાથે જુદા જુદા દેશા જોતા અને અનેક દેશના રાજાઓને નમાવતા તેઓ અનુક્રમે અવિચ્છિન્ન પ્રયાણુ કરતાં વસંતપુર નગરે આવ્યા. ભરતારનું આવાગમન સાંભળીને પદ્માવતી પરમ સંતેાષ પામી. રત્નસાર મ`ત્રીએ નગરને સુંદર રીતે શણુગાયું અને આખા પરિવારથી પરવરેલ અને નગરજનાથી ઘેરાયેલ મત્રી રાજાને લેવા તથા સામૈયું કરવા આનંદથી ઉભરાતા હૃદયવડે તેની સન્મુખ ચાલ્યેા. થોડે દૂર મંત્રી વિગેરેના રાજાની સાથે મેળાપ થયા, અને સર્વેએ રાજાને સાષ્ટાંગ નમસ્કાર કર્યાં. રાજાએ સ્નેહથી સર્વેને ઉઠાડીને આલિ’ગન કયું, કુશળ સમાચાર પૂછ્યા, રત્નસારને ખાસ આદર દીધા અને પેાતાના આસન ઉપર બેસાડયો. સ્નેહમય વાણીથી રત્નસારના પ્રથમને 'ઉપકાર સંભારતા રાજા તેની પ્રશંસા કરવા લાગ્યા, અને બધાને હુ થી ખેલાવી રાજા આનંદસમાચાર પૂછવા લાગ્યા. પછી સૈન્યસહિત રાજાએ નગર તરફ પ્રયાણ કર્યું, અને ઉદ્યાનાદિની શાભા જોતાં અનુક્રમે નગરના દરવાજા નજીક આવ્યા. તે વખતે ધર્મસેન કુમાર રાજાની સન્મુખ આવ્યે, અને ભૂમિ સુધી મસ્તક નમાવીને રાજાને પ્રણામ કર્યાં. રાજાએ તેને પ્રેમથી આલિંગન કર્યાં, અને હર્ષાશ્રવડે તેને વ્યાખ્યા. પુત્રરત્નને
SR No.023202
Book TitleChitrasen Padmavati Charitra
Original Sutra AuthorN/A
AuthorRajvallabh
PublisherRajendrasuri Sahitya Prakashan Mandir
Publication Year1974
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy