SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ઘરની આસપાસ ગઢ બંધાવી શ્રેષ્ઠીએ અશ્વોને ગૃહમાં ગુપ્ત રીતે રાખ્યા, અને પુત્ર આવ્યાને વધામણ ઉત્સવ કર્યો. એકદા મંગળકળશે પિતાને કહ્યું કે –“પિતાજી ! હજુ મારે કળાઓને અભ્યાસ બાકી છે, તે પૂર્ણ કરે છે. એટલે શ્રેષ્ઠીએ પોતાના ઘરની પાસે રહેતા એક કળાચાર્યની પાસે તેને કળાભ્યાસ આગળ શરૂ કરાવ્યે. ચંપાનગરીમાં મંગળકળશના ગયા પછી મંત્રીએ પોતાના પુત્રને રાત્રીને સમયે મંગળકળશને વેશ પહેરાવી વાસગૃહમાં રાજપુત્રી પાસે મેક ત્યા. તે આવીને શગ્યા ઉપર બેઠો. તેને દેખીને ટૌલયસુંદરી મનમાં વિચાર કરવા લાગી કે “આ દુષ્ટ કેણ મારી પાસે આવ્યું ?” પછી તે મંત્રીપુત્ર તેને સ્પર્શ કરવા તેની નજીક ગયે, એટલે ઐકયસુંદરી શય્યામાંથી ઉતરીને જલદી બહારના ભાગમાં જ્યાં પોતાની દાસી એ સુતી હતી ત્યાં આવી. તેને ત્યાં આવેલી જોઈ દાસીઓએ પૂછયું કે“ અરે સ્વામિનિ ! તમે આકુળવ્યાકુળ કેમ દેખાઓ છે?” તે સાંભળી તે બેલી કે:-“દેવતુલ્ય રૂપવાળે મારે પતિ કોઈ ઠેકાણે જતો રહ્યો જણાય છે.” તેઓ બેલી કે-“હમ. જ તમારા પતિ શયનગૃડમાં આવ્યાને? તેણીએ કહ્યું કે - “તે મારા પરણેલ પતિ નથી, તે તે કેઈ કેઢીએ આવ્યું છે.” આમ કહીને તે સુંદરી દાસીઓની સાથે સુઈ રહીને રાત્રી ત્યાં નિર્ગમન કરી. પ્રાત:કાળે શૈલેયસુંદરી પિતાને ઘેર ગઈ. પ્રભાત સમયે કુબુદ્ધિથી પ્રેરાયેલ સુબુદ્ધિમંત્રી રાજા ચિ. ૫. ૪
SR No.023202
Book TitleChitrasen Padmavati Charitra
Original Sutra AuthorN/A
AuthorRajvallabh
PublisherRajendrasuri Sahitya Prakashan Mandir
Publication Year1974
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy