SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્ષિણીએ પિતાના પતિને પૂછ્યું કે “આ રાજપુત્રને તેને બાપ રાજ્ય આપશે કે નહિ ?” ત્યારે જ્ઞાનનો ઉપગ મૂકી ભાવી હકીકત જાણું યક્ષે કહ્યું કે-“ અહો ! આ કુમાર તે આપણે સ્વયમી બંધુ છે, તેથી તેના ઉપર ઉપકાર થાય તેવાં મારાં વચન સાંભળ. આ રાજપુત્ર દેશાંતર ગયા પછી ત્યાં તેની માતા મૃત્યુ પામી છે, અને રાજા બીજી રાણી પરણ્યા છે, અને તેને તદ્દન વશ બની ગયેલ છે. આ બીજી રાણીનું ‘વિમળા” એવું નામ છે, તેને એક ગુણવાન ગુણસેન નામે પુત્ર થયેલ છે. હૃદયમાં મલીન ભાવ ધારણ કરતી તે રાએ પોતાના પુત્રને રાજ્ય અપાવવા ઘણા ઉપાયે જી રાખ્યા છે, અને રાજાને પણ ઠપે છે. પિતૃસ્નેહથી ખેંચાયેલ આ કુમાર જ્યારે તે નગરે પહોંચશે, ત્યારે તુરંગમ (ઘડા)ને ઉપાયથી રાજા તેને મારશે. કેઈ મહા પુન્યના વેગથી તે આ ઉપાયથી બચી જશે અને ગામમાં પેસશે, પણ ત્યાં યંત્રના પ્રગવડે ગામમાં પેસતાંજ ગામનો દસ્વાજે તરતજ આ રાજપુત્રની ઉપર પડશે. કદાચ દૈવયોગથી આ સંકટમાંથી પણ તે બચી જાય, તો વિમળા રાણી જરૂર આને ભેજનમાં વિશ્વ આપશે. હે વહાલી પ્રિયા ! આ નરરત્નને મારવા માટે આ ત્રણ ઉપાયે તે દુષ્ટ રાણીએ વિચારી રાખ્યા છે. વળી આ કુમાર ઉપર એક થી કુદરતી આપત્તિ આવવાની છે. તે અમુક વખત પસાર થયા પછી તેના નગરમાં જ્યારે પલંગ ઉપર પત્ની સહિત શયન કરશે ત્યારે મહા ભયંકર સર્પ તેને દંશ દેશે. આ ચારે ભયમાંથી જે તે બચી જાય છે તે ખરેખર મેટો સાર્વભૌમ નૃપતિ થશે. આ વૃતાં જે કોઈ સાંભળતું
SR No.023202
Book TitleChitrasen Padmavati Charitra
Original Sutra AuthorN/A
AuthorRajvallabh
PublisherRajendrasuri Sahitya Prakashan Mandir
Publication Year1974
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy