SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ હંસ તદ્દન સનેહ વગરને અને બીકણ છે. તે મને તથા બાળકને મૂકીને કયાં ચાલ્યા ગયે? ખરેખર પુરૂષે બધા નિર્દય અને ક્રૂર હૃદયવાળા હોય છે. તેઓ પિતાને જીવ બચાવવા સ્નેહ કે નેહીની પણ દરકાર કરતા નથી. તેઓ બહુ સ્વાથી હૃદયવાળા હોય છે. હંસ અમને છોડીને ચાલ્યો ગયે તે સામું જોવા પણ આવતું નથી.” આવા અશુભ અધ્યવસાય તેને વર્તતા હતા, અને પુરૂષ જાતિ ઉપર તેને દ્વેષ થયું હતું, તે સમયે દાવાનળને અગ્નિ તે વટવૃક્ષની નજીક આવી ગયે, અને અપત્ય નેહથી ખેંચાયેલ તે હંસી તથા તેનાં બાળકે અગ્નિમાં બળી ગયા. મુનિ મહારાજને આપેલ દાનની અનમેદનાથી તે હંસીએ મનુષ્યભવ પ્રાપ્ત કર્યો અને ત્યાંથી મરીને રત્નપુર નગરમાં પધરથ રાજાની પદ્મશ્રીની કુક્ષિમાં તે પુત્રીપણે ઉત્પન્ન થઈ. હંસ સરોવરમાંથી જળને ગ્રહણ કરીને તે વૃક્ષની પાસે આવ્યું, ત્યારે તેણે બાળક સહિત હંસીને મૃત્યુ પામેલી દેખી. પત્નીનું મૃત્યુ તેને દુસહ લાગ્યું, બાળકના નેહથી તેને અત્યંત ખેદ થયે, અને તે જ ક્ષણે સ્નેહથી ખેંચાઈને હદયમાં આઘાત થવાથી તે મૃત્યુ પામ્યા, અને તેજ સ્થળે દાવાનળની અગ્નિમાં પડીને બળી ગયે. તે પણ મુનિ મહારાજને અપાયેલ દાનની અનુમોદનાથી મનુષ્ય થયે, અને શુભ પુન્યયોગે તે ચિત્રસેન રાજપુત્ર થયે. ગતભવમાં સંબંધમાં આવેલ જીવને દેખીને મેહ
SR No.023202
Book TitleChitrasen Padmavati Charitra
Original Sutra AuthorN/A
AuthorRajvallabh
PublisherRajendrasuri Sahitya Prakashan Mandir
Publication Year1974
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy