SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦૧ ,, હતા. આવી સ્થિતિમાં તેને દેખીને બધા અત્યંત વિસ્મય પામ્યા, અને રાજાએ મ’ત્રીને પૂછ્યું' કેઃ–“ આ શું નવાઇ ? આ કેવી જાતને બનાવ ? ” મંત્રીએ ખુલાસા કર્યાં કે:“હે રાજન! હું કાંઈ પણ જાણતા નથી. આપજ બધી હકીકત જાણા છે. સત્ય વાતને ખરાખર જાણ્યા વિના મારે જન્મપ તના સેવકના મૂળથીજ ઉચ્છેદ કરવા આપ તૈયાર થયા છે. આ પેટી આપની સમક્ષ આપનાજ ગુપ્તભડારમાં મૈં મૂકી હતી, તાળાની કુંચીએ પણ આપનીજ પાસે હતી. તેની અંદર જ્યારે આવું થયું ત્યારે તેમાં મારે શું અપરાધ ? ” તે સાંભળી રાજા લજ્જા પામી ખેલ્યા કેઃ“ અરે મત્રી! મને આ બધી બાબતનું રહસ્ય કહે. મંત્રીએ કહ્યું કેઃ “ હે સ્વામિન્! કોઇપણ રાષ પામેલા વ્યંતરદેવે મારા પુત્ર નિર્દોષ છતાં પણ આગળના વેરને કારણે તેના દોષ પ્રગટ કરવા માટે આમ કર્યું હોય એવા સંભવ લાગે છે. અન્યથા આવી રીતે પેટીમાં ગુપ્ત રીતે રાખેવાની આવી અવસ્થા કેમ થાય ? ” તે સાંભળી પ્રસન્ન થઈ રાજાએ પુત્ર સહિત મંત્રીના સત્કાર કર્યાં, અને ક્રીથી મત્રીને 99 પૂછ્યું. કે− તે આ બધી હકીકત શી રીતે જાણી ?” ત્યારે મત્રીએ નિમિત્તિયા સાથે થયેલ તેની વાતચિત કહી સંભળાવી, અને તે ખાખતમાં તેણે કેવી રીતે યત્ન કર્યાં હતા તે પણ કહ્યું. ત્યારપછી રાજા અને મંત્રી સ્વપુત્રોને પેાતપેાતાને સ્થાને સ્થાપી દ્વીક્ષા લઈ દુષ્કર તપ તપીને સદ્ગતિ પામ્યા. ઈતિ જ્ઞાનગભ મત્રીથા ×
SR No.023202
Book TitleChitrasen Padmavati Charitra
Original Sutra AuthorN/A
AuthorRajvallabh
PublisherRajendrasuri Sahitya Prakashan Mandir
Publication Year1974
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy