SearchBrowseAboutContactDonate
Page Preview
Page 741
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૮૨) જૈન મહાભારત.. સનપલ્લી ગામમાં તારો અને અમારો સંગ્રામ થશે. ત્યાં પણ સરસ્વતી નદીને પ્રવાહ આપણુ યુદ્ધનો સાક્ષી થશે.” - સેમકનાં આવાં વચન સાંભળી કૃષ્ણ દૂતને કહ્યું, “હજુ અમે યુધને માટે ક્ષુધાતુર છીએ. યુધ્ધ રૂપ ભેજન કરવા માટે આ તારું આમ ત્રણ અને ખુશકારક છે. કંસ અને કારોના ત્રાસથી હજુ મારા બાહને તૃપ્તિ થઈ નથી, માટે. તારા સ્વામી જરાસંઘને યુદ્ધ કરવા માટે સનપલ્લી ગામમાં મોકલજે. અમે ત્યાં આવ્યાજ એમ જાણજે.” - કૃષ્ણને આ સંદેશો સેમકે જરાસંઘની આગળ અક્ષરે. અક્ષરરૂપે કહ્યું હતું. પછી જરાસંઘે કૃષ્ણ, અરિષ્ટનેમિ, અજુન અને ભીમ વગેરેની હાલત વિષે પૂછવાથી સમય દૂત તે સર્વના સ્વરૂપનું અને પરાક્રમનું યથાર્થ રીતે વર્ણન કરી બતાવ્યું હતું. જ્યારે સેમકે કૃષ્ણ અને પાંડના ઉત્કર્ષનું વર્ણન કરી બતાવ્યું, તે સાંભળી જરાસંઘ નાખુશ થયા હતા, અને તેણે તે વખતે મક તને કેટલાએક ગર્વનાં વચનો. કહ્યાં હતાં અને પછી તરતજ તે પ્રયાણ કરી સનપલ્લી ગામપાસે વહન થતી સરસ્વતીને તીરે જયઘોષણા કરાવતે મોટા સૈન્ય સાથે આવ્યું હતું. જ્યારે જરાસંઘ રણભૂમિમાં આવ્યું એટલે કૃષ્ણને દૂતેએ ખબર આપ્યા, તેથી તેઓ પણ પાંડ ની સાથે તે સ્થળે ચડી આવ્યા હતા. વસુદેવે પૂર્વે વૈતાઢ્ય. પર્વત ઉપર સંચાર કરી હજારે ઉપકારથી જે ખેચરને મિત્ર કર્યા હતા, તે ખેચરે કૃષ્ણને સહાય કરવાને રણભૂમિમાં આવ્યા હતા.
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy