SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ યુદ્ધાર બ. ' 66 પાસે આવી એક દ્વારપાળે વિન ંતિ કરી કે, “મહારાજા! મદ્રાસના રાજા શૈલ્ય આપણા તંબુના દ્વાર આગળ આવી ઉભા છે અને તે આપને મળવાની ઉત્કંઠા રાખે છે.” દ્વારપા ળનાં આ વચન સાંભળી યુધિષ્ઠિરે તેને પ્રવેશ કરાવાની આજ્ઞા કરી એટલે દ્વારપાળ શૈત્યરાજાને લઈ અંદર આવ્યા. મહા, રાજા યુધિષ્ઠિર પાતાના ખ ંધુઓ સાથે મદ્રપતિ શૈત્યને લેવા એ ચાર ડગલા સામે આવ્યેા. રાજા શૈલ્ય પાંડુપત્ની માદ્રીને સહેાદર ભાઇ હતા. તેથી તે નકુળ અને સહદેવના સગા મામા થતા હતા. યુધિષ્ઠિરે પેાતાના માતુલને યાગ્ય આસન ઉપર બેસાર્યાં અને તેને કુટુ ખની કુશળવાર્તા પુછી. પછી શૈલ્ય વિનયથી એલ્યા. સર્વ જગતના કલ્યાણ કરનાસ તમારા જેવા જેના ભાણેજ છે તેનું સદા કલ્યાણજ છે. જગને કલ્યાણ કરનારી કુંતી અને માદ્રી મારી મ્હેના છે, તેથી હું મારા આત્માને ધન્ય માનુ છુ. ધ રાજા! આ વખતે હું તમને જે કાંઈ કહેવા આવ્યે છું તે મને લજ્જા કરે નેવું છે. તથાપિ તમે ન્યાયી હોવાથી તે સાંભળવાને યોગ્ય છે. “ પૂર્વ તમે યુદ્ધને વિષે આમત્રણ કરવા સારૂ દૂત માકળ્યા હતા. પરંતુ તે કૃતના આવ્યા પહેલાં દુર્યોધને પેાતાની સહાયતા કરવાને કેટલાએક ભક્તિવાળા વચનાથી મને કહેવરાવ્યું હતું, તે ઉપરથી મેં તેને કહેવરાવ્યું છે કે હું તને સહાય કરવા આવીશ. ’ હું વચનથી તેની સાથે બંધાઈ ગયા પછી તમારા દૂત આવ્યા, એટલે મને ઘણેા વિચાર થઈ સં ૩૨ ( $$ )
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy