SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ વિદુર વૈરાગ્ય. (૫૭૭). બાર વર્ષ વનવાસ અને એક વર્ષ અજ્ઞાતવાસ કરી પિતાની પ્રતિજ્ઞા પૂરી કરી છે. હવે તમારા પેણ બંધુ યુધિષ્ઠિર તમારું મુખકમળ જેવાને આતુર છે. તમારા વિયેગથી તેમના, મનમાં ઘણે કલેશ રહ્યા કરે છે. હવે તે તમારા આમંત્રણની રાહ જોઈ રહ્યા છે. કારણ કે, મેટા પુરૂષે આમંત્રણના અપે. ક્ષક હોય છે. હાલ તેઓ દ્વારકામાં પિતાના પરિવાર સાથે રહેલા છે. હવે તમારે પિતાના બંધુઓને હસ્તિનાપુરમાં બેલાવી લેવા તે ગ્યા છે. કારણ કે તમે બને બધુ છે. તમાશામાં વિના કારણે વિરોધ થ ન જોઈએ. બંધુ નિમિત્તે વેર ઉત્પન્ન કરી બંધુની સંપત્તિ હરણ કરવાની ઈચ્છા કરનાર લુબ્ધ અને અધમ બંધુ કહેવાય છે. જો તમે એવા લુબ્ધ થઈ ધર્મરાજાને હસ્તિનાપુરમાં નહિં તેડાવે તે તેના બંધુએ બળાત્કારે તેમને હસ્તિનાપુરમાં લાવશે. અને એવી રીતે આવેલા પાંડ તમારા કલ્યાણના હેતુ નહીં થાય. કારણ કે, તેઓ પોતાના સામર્થ્યથી તમારા ભાગની અને પોતાના ભાગની સંપૂર્ણ ભૂમિને દબાવી લેશે. અને તે વખતે તમારે યુદ્ધમાં ઉતરવું પડશે. જેથી તમારે મૃત્યુ પામવાને પ્રસંગ આવશે. અથવા આ રાજ્યસંપત્તિને ત્યાગ કરી તમારે તેમની જેમ વનમાં રઝળવું પડશે.” પુરેહિત દૂતની આ વાણી સાંભળતાં જ દુર્યોધન અ-- તિશય ક્રોધાતુર થઈ ગયે હતું. તેના અધર કંપવા લાગ્યા. અને નેત્ર લાલચોળ થઈ ગયા. તે વખતે તેણે ક્રોધાવેશથી” ૩૭.
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy