SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ દુષ્ટ ઇરાદાનું દુષ્ટ ફળ. (૩૫) અને એક સ્ત્રી નવાં દાખલ થયા છે. કેઈ એક બ્રાહ્મણ પિતાના અંગપર બાર તિલક કરી, હાથની આંગળીઓમાં દર્ભની પવિત્રિઓ પહેરી સુંદર યજ્ઞોપવીત ધારણ કરી અને ચંદ્રના જેવા વેતાંબર વસ્ત્રો પહેરી આપણું મહારાજાની પાસે આવ્યો હતો. તેણે મહારાજાની મુલાકાત લઈ જણાવ્યું કે, “મારૂં નામ કંક છે અને હું હસ્તિનાપુરના રાજા યુધિષ્ટિઅને પ્રિય પુરોહિત છું. પાંડેએ જુગારમાં રાજ્યને હારી વનવાસ કર્યો, તેથી હું ત્યાંથી છુટે થઈ અહિં આવ્યું .' તે બ્રાહ્મણના આવાં વચન સાંભળી રાજાએ તેને પોતાની પાસે રાખ્યા છે. અને તેની સુવર્ણ પુષ્પથી પૂજા કરી પિતાની રાજસભાને તેને મુખ્ય સલાહકાર સભાસદ્ નીમે છે. તે પછી એક પ્રચંડ પુરૂષ હાથમાં કહે છે અને ર લઈ રાજાની નજરે ચડ્યો, એટલે રાજાએ તેને બેલા. તેણે રાજાને કહ્યું કે, હું વલવ નામે યુધિષ્ઠિર રાજાને રસેઈઓ હતો. અને ધર્મરાજાના મલસમુદાયમાં હું શ્રેષ્ઠ ગણાતો હતો. પાંડને વનવાસ થયા પછી સર્વ કળાઓમાં કુશળ ગણાતા એવા આપની પાસે હું આવ્યો છું.”તેના આવાં વચન સાંભળી રાજાએ કહ્યું કે, “તારી આકૃતિ રઈઆપણને એગ્ય નથી. તારી બળવાન્ ભુજાઓ જોતાં તે આખી પૃથ્વીનું રક્ષણ કરવાને સમર્થ જણાય છે. તે છતાં જે તારી ઈચ્છા હોય તો તને હું પાકશાળામાં રાખીશ.” આ પ્રમાણે કહી તે રાજાએ તેને પોતાની પાકશાળાને અધિપતિ બનાવ્યો છે. તે પછી
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy