SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ મામ અને ભાણેજ. (૩૩) તુજ દુ:ખરૂપદાવાનળમાં બન્યા કરશે. વસંતઋતુની સંપત્તિ જોઈને જેમ કામદેવ પ્રસન્ન થાય છે, તેંમ પાંડની સંપત્તિ જેઅને તને આનંદ કેમ થતું નથી? જેમ ચંદ્રના ઉદયથીંસમુદ્રની વૃદ્ધિ થતી જાય છે, તેમ સંબંધીઓને ઉદય થતાં આપણું મનને ઉલ્લાસ થવો જોઈએ. જેમને વૈભવ જોઈને તને આનંદ થે જોઈએ, તેમ નહીં થતાં પણ ઉલટું દુ:ખ થાય છે. તે મને સારું ચિન્હ ભાસતું નથી. ચાંદની ખીલી હોય તે સમયે કે પુરૂષ કહે છે કે મને તે અંધકાર જોઈએ. તેના જે બીજ મૂઢ કેણ કહેવાય? ધૃતરાષ્ટ્રનાં આવા વચને સાંભળી દુષ્ટ દુર્યોધન જરા મનમાં સંકોચાયે. તથાપિ તે પિતાની ઈષ્યને ઉભરે બાહેર લાવી યુક્તિથી બેલ્ય–“પિતાજી, મને પાંડની રાજ્યલક્ષમી જોઈને દ્વેષ થતું નથી, પણ તેમણે સભા વચ્ચે જે મારૂં હાસ્ય કર્યું તે મારા અંતરમાં સાલે છે. તે વાત મારાથી કહેવાશે નહીં. આ મારે મામે શકુનિ તમને કહેશે. એમ કરી તેણે શકુનિ સામે જોયું. એટલે શકુનિએ દુર્યોધન ઉપર થએલા હાસ્યની બધી વાત કહી સંભળાવી. જે સાંભળી ધૃતરાષ્ટ્ર વિચારમાં પડે. તેવામાં દુર્યોધન બેલી ઉઠ. “પૂજ્ય પિતા મારૂં ઉપહાસ્ય થયા પછી મેં એ નિશ્ચર્ય કર્યો છે કે, પાંડ ની સંપત્તિ તથા દ્રૌપદીને હું હરણ કરી લઉં તેજ જીવું. નહીં તે મારે મરવું ઉચિત છે. કારણકે, સત દુઃખમાં રહી જીવવું એ શું જીવવું કહેવાય ? તેવું જીવવું મરણતુલ્ય છે. ચંદ્રને ઉદય વાદળાઓથી ઢંકાઈ જાય, તે પછી ચંદ્રોદય
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy