SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરબીજ, (૧૭૭) કાળના પ્રભાવથી ધૃતરાષ્ટ્રના સે પુત્ર અને પાંડુના પાંચ પુત્રો અનુક્રમે મેટા થયા. તારૂણ્ય વયના આરંભમાં જ તેઓ એવા બળવાનું થયા કે, તેઓ ત્રણ લોકનું તેલન કરવાને પણ સમર્થ થઈ શકે. તે એને પાંચે ભાઈઓ હસ્તિનાપુરની બજારમાં, ઉદ્યાનમાં અને બીજા રમણીય પ્રદેશમાં યથેચ્છ રીતે વિચરતા હતા. તેઓને તેમના શિક્ષકોએ સારા સુશિક્ષિત બનાવ્યા હતા. નિત્ય પ્રાત:કાળે વહેલા ઉઠીને તેને ઓ અનુક્રમે ભીમ, ધૃતરાષ્ટ્ર, પાંડુ, વિદુર, સત્યવતી, અંબિકા, અંબાલિકા, અંબા, ગાંધારી અને કુંતીને વંદન કરતા અને તેથી તેઓ સર્વને હાલા લાગતા હતા. સર્વના વૃદ્ધ વડિલ ભીષ્મ બધા પુત્રોને સમદષ્ટિથી જોતા હતા. દુર્યોધન અને તેના નવાણું ભાઈએ પાંડની સાથે સરખી રીતે શિક્ષિત થયા હતા, તથાપિ પાંડેના જેવી તેમની મનેવૃત્તિ ન હતી. પાંડવોના હૃદયમાં જે ભાવના હતી, તેવી ભાવના દુર્યોધન અને તેના બંધુઓમાં ન હતી. પાંચે પાંડ બાળપણથી જ જિનભક્ત હતા. તેઓ શુદ્ધભાવથી અહંતની પ્રતિમાની આરાધના કરતા હતા. અને રાત્રિ દિવસ પંચ પરમેષ્ટીનું સ્મરણ કર્યા કરતા હતા. સે કેરોના હૃદયમાં પાંડ ની બુદ્ધિની છાયા પણ ન હતી. તેમજ તેમના જેવી ધર્મપ્રીતિ ન હતી. પાંડ અને કરે રમત ગમતમાં સાથે ભાગ લેતા
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy